બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 AM, 23 February 2024
હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક વિશેષ મહત્વ છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. આ સાથે હિન્દુ ધર્મમાં શુભ-અશુભનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ ઘર અથવા મંદિરમાં અમુક વિશેષ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સુખ-સમૃદ્ધિ પર પડે છે. આ સાથે મંદિરની સાફસફાઇ કરવા માટે પણ એક વિશેષ સમય હોય છે. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે પરિવારમાં સુખ અને શાંતિ જોવા મળે છે.
ADVERTISEMENT
મંદિરની સાફસફાઇ
વાસ્તુ શાસ્ત્રમાં મંદિરની સાફસફાઇ અને મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને પણ નિયમો છે. જે લોકો આ નિયમોનું પાલન કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે. આ સાથે તે વ્યક્તિના જીવનમાં સફળતા માટે નવા રસ્તાઓ પણ ખૂલે છે. જાણો, મંદિરની સાફસફાઇ કયા દિવસે કરવી જોઈએ અને કયા દિવસે ન કરવી જોઈએ.
ADVERTISEMENT
આ દિવસે કરો મંદિરની સાફ સફાઇ
વાસ્તુ શાસ્ત્ર મુજબ શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરવી જોઈએ. જે લોકો શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરે છે, તેમના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે વાસ્તુ દોષથી પણ છુટકારો મળે છે.
વાંચવા જેવું: માર્ચ મહિનામાં મિથુન અને આ રાશિના જાતકોના જીવનમાં મચી જશે હલચલ: અનેક ગ્રહો કરવાના છે પરિવર્તન
મંદિરની સાફસફાઇ કેવી રીતે કરવી
સૌપ્રથમ મંદિરમાં રાખેલા દેવી-દેવતાઓના ફોટાઓને ગંગાજળ વધે સાફ કરો. હવે દીવાને એક કપડાં વડે સાફ કરો. મંદિરમાં સળગાવેલી બાકસની સળી, ફૂલ અને અન્ય કોઈ પણ એવો સમાન જેની જરૂર મંદિરમાં નથી તેને દૂર કરો. આ વસ્તુઓને ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં તરતા મૂકો. સરખી રીતે મંદિરની સાફસફાઇ કર્યા બાદ હવે મંદિરમાં ગંગાજળ છાંટો. તેનાથી મંદિર શુદ્ધ થઈ જશે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT