બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2026-27 / નોકરિયાત વર્ગને બલ્લે-બલ્લે! શું આવનારા બજેટ 2026માં દૂર થઇ જશે જૂનો ટેક્સ સ્લેબ?
Last Updated: 01:13 PM, 30 January 2026
હાલમાં ન્યૂ ટેક્સ રીજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. તેથી લોકોમાં ચર્ચા છે કે શું સરકાર બજેટમાં ઓલ્ડ ટેક્સ રીજીમને બંધ કરશે. જો એવું થાય તો અનેક લોકોને મળતી ડિડક્શન અને છૂટછાટો પર અસર પડી શકે છે એટલે બજેટના નિર્ણયને લઈને લોકોમાં ઉત્સુકતા છે.
ADVERTISEMENT
1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. બજેટ પહેલાં ટેક્સ ભરનારાઓમાં એ પ્રશ્ન છે કે ઓલ્ડ ટેક્સ રીજીમનું ભવિષ્ય શું રહેશે કારણ કે હાલમાં લગભગ 95 ટકા લોકો નવા ટેક્સ રીજીમ તરફ શિફ્ટ થઈ ચૂક્યા છે.
સરકાર પહેલેથી જ ન્યૂ ટેક્સ રીજીમને મુખ્ય વિકલ્પ બનાવી ચૂકી છે અને હવે સરકારનું ધ્યાન પણ આ રીજીમ પર જ છે. તેથી લોકોમાં આ ચર્ચા ચાલી રહી છે કે શું આવનારા બજેટમાં સરકાર જૂના ટેક્સ રીજીમને પૂરી રીતે બંધ કરી દેશે?
ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે આ બજેટમાં ઓલ્ડ ટેક્સ રીજીમ બંધ થશે તેવી શક્યતા બહુ ઓછી છે. પરંતુ સરકાર ધીમે ધીમે તેને બાજુ પર રાખી શકે છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ન્યૂ ટેક્સ રીજીમમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. આ પરથી લાગે છે કે સરકાર લોકોને સરળ ટેક્સ સિસ્ટમ આપવા માંગે છે, જેમાં ઓછી છૂટછાટ હોય અને ઓછો વિવાદ થાય.
ADVERTISEMENT

નવા ટેક્સ રિજીમ એજ વિચાર પર આધારિત છે જેમાં ઓછો ટેક્સ સ્લેબ હોય અને વધુ છુટ અને કપાત હટાવાઈ હોય. પણ હા પણ ઓલ્ડ ટેક્સ રિજીમ એ લોકો માટે ફાયદાકારક છે જેની પાસે હોમ લોન, HRA, LIC, PPF, ELSS અને NPS જેવા રોકાણના વિકલ્પ હોય એટલે કે તેઓ આ જગ્યાએ રોકાણ કરી રહ્યા હોય.
ADVERTISEMENT
એક્સપર્ટ્સ પણ જણાવી રહ્યા છે કે આ બજેટમાં સરકાર નવા ટેક્સ રિજીમને વધુ લોકપ્રિય બનાવવા માટે પગલા લઈ શકે છે જેથી બાકીના ટેક્સપેયર્સ પણ ઓલ્ડ ટેક્સ રિજીમને મુકીને નવામાં શિફ્ટ થઈ જાય.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રોકાણકારોને બખ્ખાં કરાવતો IPO, આપ્યું 96 ટકા રિટર્ન, હવે શું કરવું?
ADVERTISEMENT
આમા સૌથી મોટુ પગલું સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારવાનું હોય શકે છે. હાલ નવા ટેક્સ રિજીમમાં 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. સરકાર તેને વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી શકે છે. જેનો સીધો ફાયદો સેલેરી ક્લાસને મળી શકે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને જોડીને 12.75 લાખ રૂપિયા સુધીની સેલેરી પર કોઈ ટેક્સ લાગતો નથી.
બીજો મોટો અને મહત્વનો ફેરફાર NPSને ન્યૂ ટેક્સ રિજીમમાં સામેલ કરવાનો હોય શકે છે. હાલ ઓલ્ડ ટેક્સ રિજીમમાં NPS પર વધારે 50,000 રૂપિયાની છૂટ મળે છે જ્યારે ન્યૂ ટેક્સ રિજીમમાં આ સુવિધા નથી. જો સરકાર ન્યૂ ટેક્સ રિજીમમાં પણ NPSને ટેક્સ ફ્રી કે ડિડક્શનના દાયરામાં લાગે છે તો રિટાયરમેન્ટ સેવિંગને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેટ કર્મચારીઓ માટે ન્યૂ રિજીમ વધુ આકર્ષક બની જશે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.