બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડૉ. બિમલ એન. પટેલ જર્મનીમાં ITLOSના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા, PM સાથે પણ કરી ચૂક્યા છે કામ
Last Updated: 11:14 AM, 20 June 2026
Dr Bimal N Patel ITLOS Judge : ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું એક નાનું ગામ આજે સમગ્ર દેશ માટે ગૌરવનું કેન્દ્ર બની ગયું છે. વાસ્તવમાં આંકલાવ તાલુકાના ખડોલ ગામના વતની ડૉ. બિમલ એન. પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ વિશ્વભરમાં ગુંજી ઉઠ્યું છે. ડૉ. પટેલની International Tribunal for the Law of the Sea (ITLOS) ના ન્યાયાધીશ તરીકે પસંદગી કરવામાં આવી છે, જે ભારત માટે એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જર્મનીના હેમ્બર્ગ શહેરમાં આવેલી ITLOS સંસ્થા દરિયાઈ કાયદા અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિવાદોના નિરાકરણ માટે વિશ્વની અગ્રણી ન્યાયિક સંસ્થાઓમાંની એક ગણાય છે. આ પ્રતિષ્ઠિત મંચ પર ડૉ. બિમલ પટેલ હવે વર્ષ 2026થી 2035 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ન્યાયાધીશ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે.
Congratulations to Prof. Dr. Bimal N. Patel on his election as Judge of the International Tribunal for the Law of the Sea (ITLOS).
— India in Portugal (@IndiainPortugal) June 19, 2026
We wish him every success in this distinguished role. @MEAIndia @IndianDiplomacy @prkundal @IndiainPortugal https://t.co/p1OKAUvII2
ADVERTISEMENT
ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાનો પુરાવો
ડૉ. પટેલની આ સફળતા માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ તે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાનો પણ પુરાવો છે. એક સામાન્ય ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય ન્યાય વ્યવસ્થાના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચવાનો તેમનો સફર અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદમાં વિલંબ વચ્ચે ખેડૂતોને રાહત: હવે મળશે 10 કલાક વીજ પુરવઠો
હાલમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (National Defence University) ના કુલપતિ તરીકે સેવા આપી રહેલા ડૉ. બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય કાનૂન, સુરક્ષા અભ્યાસ અને વૈશ્વિક નીતિ વિષયોમાં વિશેષ અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ દેશના વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વિવિધ નીતિગત અને કાનૂની બાબતોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં તેમની પસંદગી ભારતના કાનૂની અને કૂટનીતિક પ્રભાવને વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠામાં વધારો કરનારી આ સિદ્ધિ દેશ માટે એક વધુ ગૌરવશાળી ઉમેરો સાબિત થઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.