ઓબીસી ક્રિમિલેયરને લઈને મોદી સરકારે હવે એક મોટું કામ શરુ કર્યું છે. આગામી દિવસોમાં ઓબીસી ક્રિમિલેયરની આવક 8 લાખથી વધીને 12 લાખ થઈ શકે છે .પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર OBCને એક મોટી નિર્ણય કરવા જઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે પુષ્ટિ કરી છે કે મંત્રાલયે એ વાતનો ફરી વિચાર કરશે કે વાર્ષિક આવકમાં પગાર અને ખેતીમાંથી થનારી આવકને સામેલ કરવામાં આવે કે નહીં.
શું કામ શરુ કર્યું મોદી સરકારે
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ઓબીસી ક્રિમિલેયરના મુદ્દે ફેરવિચારણા શરુ કરી છે. મોદી સરકારે ઓબીસી અનામત બીલને અભરાઈએ ચડાવી દીધું હતું પરંતુ હવે તેને ફરી વાર વિચારણામાં લવાઈ રહ્યું છે. મંત્રાલયે ઓબીસી ક્રિમિલયરની હાલની મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરવાની વિચારણા શરુ કરી દીધી છે જે પછી તેને કેબિનેટની બેઠકમાં રાખવામાં આવશે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ઓબીસી સમુદાયને આ લાભ મળવાનું શરુ થઈ જશે.
કૃષિ અને સેલેરી આવકને સામેલ કરવા પર વિચાર
મંત્રાલય એ વાતનો પણ વિચાર કરશે કે વાર્ષિક આવકની ગણતરીમાં વેતન અને કૃષિ આવકને સામેલ કરવી જોઈએ નહીં. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મંત્રાલયને આ મુદ્દે ફેરવિચારણા કરવાનું જણાવી દેવાયું છે. કેબિનેટમાં જે નોટ રાખવામાં આવી હતી તેને પાછી લઈ લેવામાં આવી છે અને મંત્રાલયે ફરી વાર વિચાર શરુ કરી દીધો છે.
ઓબીસીને મળી રહ્યું છે 27 ટકા અનામત
હાલમાં ઓબીસી સમુદાયને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો તથા જાહેર ક્ષેત્રની રોજગારીમાં 27 ટકા અનામત મળી રહ્યું છે તેમાં માતાપિતાની કુલ વાર્ષિક આવક 8 લાખ રુપિયાથી વધારે ન હોય ફક્ત તેવા લોકોને જ અનામતનો લાભ મળે છે. 8 લાખ અને તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવનાર વ્યક્તિને ક્રીમિ લેયર તરીકે ગણવામાં આવે છે અને તેને અનામતનો લાભ મળી શકતો નથી.