બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:33 AM, 19 February 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, રાશિની જેમ મૂળાંકનો પણ ગ્રહ સાથે સંબંધ હોય છે. જન્મતારીખને ઈકાઈ અંક સાથે જોડવાથી જે સંખ્યા આવે તેને મૂળાંક કહેવામાં આવે છે. જન્મતારીખ, મહિનો અને વર્ષને ઈકાઈ અંક સુધી જોડો પછી જે સંખ્યા આવે તેને ભાગ્યાંક કહેવામાં આવે છે. અંક જ્યોતિષ અનુસાર મૂળાંક 8 ધરાવતા લોકોના સ્વામી શનિદેવ છે. જેથી મૂળાંક 8 ધરાવતા લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. સફળતા પ્રાપ્ત કર્યા પછી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.
મૂળાંક 8ના જાતકોની વિશેષતા-
8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. આ મૂળાંક ધરાવતા લોકોનું વ્યક્તિત્ત્વ ખૂબ જ આકર્ષક હોય છે. આ તારીખે જન્મેલા લોકો પીછેહઠ કરતા નથી અને વાત રજૂ કરવામાં ખૂબ જ સંકોચ થતો હોય છે. જેના કારણે તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
જન્મતારીખ 8-
8 તારીખે જન્મેલા લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. તેમની વાતો શેર કરતા નથી અને તેમને સમજવા ખૂબ જ કઠિન હોય છે. પડકારનો ડર્યા વગર સામનો કરે છે અને સફળતા મેળવવા માટે તમામ સંભવ કોશિશ કરે છે. કોઈપણ કામ અધૂરું મુકતા નથી. સરળતાથી વિશ્વાસ જીતી લે છે અને લાગણીશીલ હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જન્મતારીખ 17-
17 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. અંક જ્યોતિષ અનુસાર આ વ્યક્તિઓ વિચારો બાબતે ખૂબ જ સ્પષ્ટતા ધરાવે છે. કામ કરવામાં ખૂબ જ ધીમા હોય છે, પરંતુ જવાબદારી લેવામાં સંકોચ કરતા નથી. 17 તારીખે જન્મેલા લોકોને ફરવું ખૂબ જ ગમે છે.
ADVERTISEMENT
જન્મતારીખ 26-
26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે અને ધીરજ હોતી નથી, જેના કારણે તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાણાંકીય બાબતે ખૂબ જ લકી હોય છે. સમજી વિચારીને ખર્ચો કરતા હોય છે. મેનેજમેન્ટ સ્કિલ ખૂબ જ સારી હોય છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.