25 ફેબ્રુઆરી 2022થી તમે શેર વેચશો તેના બીજાજ દિવસે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે તેવી સિસ્ટમ અમલમાં આવવાની છે. જેમા શેરની લે- વેચને વધારવા માટે આ સીસ્ટમને અમલમાં મુકલામાં આવી છે.
શેર વેચ્યાના બિજાજ દિવસે જમા થશે એકાઉન્ટમાં રૂપિયા
25 ફેબ્રુઆરીથી સિસ્ટમ આવશે અમલમાં
પહેલા 1 જાન્યુઆરીથી આ સિસ્ટમ અમલમાં આવવાની હતી.
૨૫ ફેબ્રુઆરીથી શેરબજારમાં સેટલમેન્ટ અંગે T+1 સિસ્ટમ લાગુ પડશે. હકીકતમાં T+1 સેટલમેન્ટ સાઈકલનો અમલ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી થવાનો હતો, પરંતુ હવે માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેની સમયમર્યાદા લંબાવી દીધી છે અને આ વ્યવસ્થા હવે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨થી લાગુ પડશે.
બજારમાં શેરની લે-વેચ વધારવા સિસ્ટમ લાવવામાં આવી
હાલ ઘરેલુ શેરબજારમાં શેરના વેચાણ બાદ ટ્રેડિંગના બે દિવસ પછી (T+૨) વેચનારના એકાઉન્ટમાં નાણાં જમા થાય છે, પરંતુ હવે તેના બદલે શેર વેચ્યાના બીજા દિવસે જ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા થઈ જશે. આ સિસ્ટમ પાછળનો હેતુ બજારમાં શેરની લે-વેચ વધારવાનો છે.
પ્રથમ તબક્કામાં 100 કંપનીઓ આ સિસ્ટમ લાગુ કરશે
શેરબજારમાં લેવડદેવડની વ્યવસ્થા બેન્ક અથવા અન્ય સ્થળોથી અલગ હોય છે. સામાન્ય રીતે બેન્ક અથવા અન્ય પેમેન્ટ સિસ્ટમમાં નાણા ટ્રાન્સફર કે લેવડદેવડ થતાં જ ખાતાંમાં જમા થઈ જાય છે, પરંતુ શેરબજારમાં આવું થતું નથી. આથી હવે શેરબજારમાં T+1 સિસ્ટમ લાગુ કરવામાં આવશે. T+1 સિસ્ટમને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં માર્કેટ કેપિટેલાઈઝેશનના આધારે સૌથી નીચલી ૧૦૦ કંપનીઓના શેરમાં આ સિસ્ટમ લાગુ પડશે.
માર્ચ 2022 પછી 500થી વધું સ્ટોક આ સિસ્ટમ હેઠળ લવાશે
ત્યારબાદ માર્ચ, ૨૦૨૨થી નીચેથી ૫૦૦ વધુ સ્ટોકને આ સિસ્ટમ હેઠળ લાવવામાં આવશે. તમામ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ (એમઆઈઆઈ) દ્વારા સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.