બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 AM, 11 January 2024
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના પ્રવાસીઓ હવે માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યા માટે ફ્લાઈટની માંગ પણ વધી ગઈ છે. આ કારણોસર સસ્તી હવાઈ સેવા આપતી કંપની સ્પાઈસ જેટના ચેરમેન અને સીઈઓ અજય સિંહે જાહેરાત કરી છે.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
ADVERTISEMENT
લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે
એરલાઇન્સ ટૂંક સમયમાં લક્ષદ્વીપના અગાટી આઇલેન્ડ માટે ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. આ સાથે તેમણે ટૂંક સમયમાં અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવાની પણ વાત કરી છે. આ તમામ જાહેરાત એરલાઇન્સની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) દરમિયાન કરવામાં આવી છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ 36 ટાપુઓનો સમૂહ છે. કેરળનાં કોચીથી તેનું અંતર 440 કિમી છે.
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
વાંચવા જેવું: લક્ષદ્વીપમાં જ મળશે વર્લ્ડક્લાસ સુવિધાઓ: માલદીવને ટક્કર આવા ટાટાએ બનાવ્યો જોરદાર પ્લાન
ભારત-માલદીવ વચ્ચે તણાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2-3 જાન્યુઆરીનાં રોજ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમના સોશિયલ મીડિયા પરથી આ પ્રવાસની તસવીરો શેર કરવામાં આવી હતી. કેટલાક ભારતીઓએ લક્ષદ્વીપ ને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું. આ સમયે ભારત અને માલદીવનાં લોકો વચ્ચે સોશિયલ મીડિયા પર દલીલો શરૂ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.