બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / World class facilities will be available in Lakshadweep: Tata made a huge plan to compete with Maldives
ADVERTISEMENT
ભારત સાથે પંગો લેવાને કારણે માલદીવને આર્થિક રીતે પણ મોટો ફટકો પડી રહ્યો છે તો લક્ષદ્વીપના પર્યટનમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. લોકો આ દિવસોમાં માલદીવ જવા માટે તેમના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. ભારત-માલદીવ વિવાદ બાદ હવે લક્ષદ્વીપને એક નવા પ્રવાસન સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને ટાટા ગ્રુપે હવે વધુ આકર્ષક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
TATA Group to Make 2 Taj Branded Resorts in Lakshadweep. pic.twitter.com/khML4iJd0S
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 8, 2024
ADVERTISEMENT
ટાટા ગ્રુપે લક્ષદ્વીપમાં સ્થિત બે ટાપુઓ પર બાંધવામાં આવનાર લક્ઝરી રિસોર્ટ માટેના પ્લાન 2026ની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના બે સુંદર ટાપુઓ સુહેલી અને કદમતમાં બે તાજ બ્રાન્ડેડ રિસોર્ટ બનાવવા જઈ રહ્યું છે. ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) એ તાજેતરમાં આ બે ટાપુઓ પર બે તાજ બ્રાન્ડ રિસોર્ટ બનાવવા માટે કરારો કર્યા છે. આ રિસોર્ટ 2026માં ખુલશે. આ બંને રિસોર્ટ સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના બનાવવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને માલદીવ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે લક્ષદ્વીપને ભારતીય પ્રવાસીઓ માટે રજાના મુખ્ય સ્થળ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપ અચાનક ચર્ચામાં આવી ગયું જ્યારે પીએમ મોદીએ ટાપુઓની તસવીરો શેર કરીને તેને પ્રવાસન સ્થળ તરીકે રજૂ કર્યું હતું.
🚨 Indian Hotels Company (IHCL) is developing two Taj branded resorts on the islands of Suheli and Kadmat in Lakshadweep. Slated to open in 2026 !
— Indian Tech & Infra (@IndianTechGuide) January 6, 2024
Suheli project = 110 rooms (50 water villas, 60 beach villas)
Kadmat project = 110 rooms (35 water villas, 75 beach villas) pic.twitter.com/ds4pmZklAx
ADVERTISEMENT
ગયા વર્ષે રિસોર્ટ્સ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરતા, IHCL ના MD અને CEO પુનિત ચટવાલે જણાવ્યું હતું કે,બે વિશ્વ કક્ષાના તાજ રિસોર્ટ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષશે. તેમણે કહ્યું. તાજ સુહેલીમાં 110 રૂમ હશે જેમાં 60 બીચ વિલા અને 50 વોટર વિલાનો સમાવેશ થાય છે, જ્યારે તાજ કદમતમાં 110 રૂમ હશે જેમાં 75 બીચ વિલા અને 35 વોટર વિલાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: એમનેમ કોઈને નથી મળતી લક્ષદ્વીપમાં એન્ટ્રી, લેવી પડે છે ખાસ પરમિટ: જાણો નિયમ અને ખર્ચો
સુહેલી અને કદમત ટાપુઓ તેમના નીલમ પાણી, સફેદ રેતીના દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ જીવન માટે પ્રખ્યાત છે. તાજ રિસોર્ટ આ કુદરતી સૌંદર્યને વધુ વધારશે અને પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે. અહીં રોકાતા મહેમાનો સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ અને બોટ રાઇડ જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે અથવા ફક્ત બીચ પર આરામ કરી શકે છે અને ટાપુઓના શાંત વાતાવરણનો આનંદ માણી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.