બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Megha
Last Updated: 11:15 AM, 24 August 2023
Liver problems: લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ખોરાક પચાવવાથી લઈને લોહી સાફ કરવા સુધીના ઘણા કામ લીવર કરે છે. આજકાલ દરેક ઉંમરના લોકોમાં લીવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. લીવરના રોગ લીવર અને તેની આસપાસના અંગોને પણ અસર કરી શકે છે. આલ્કોહોલનું સેવન લિવર ડેમેજ થવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ ઘણા કારણો છે જેના કારણે લિવર ખરાબ થઈ રહ્યું છે.
આલ્કોહોલ લીવરનો સૌથી મોટો દુશ્મન છે, જે તેને ફેટી લિવર, લિવર સિરોસિસ જેવી ખતરનાક બીમારી બનાવી શકે છે પણ આલ્કોહોલ સિવાય કેટલાક ખોરાક લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ રોગને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ કહેવામાં આવે છે. આલ્કોહોલ સિવાય કયા કારણોસર માનવ લિવર ડેમેજ થવાના કેસ વધી રહ્યા છે ચાલો તે વિશે જાણીએ.
લીવરમાં નુકસાનને કારણે
એક સ્ટડી અનુસાર ઘણા લોકો બજારમાંથી વિટામિન સપ્લિમેન્ટ્સ લે છે જે લીવરને નુકસાન પહોંચાડે છે. મોટાભાગના લોકોને સપ્લિમેન્ટ્સની જરૂર હોતી નથી. તે લોકો સંતુલિત આહાર વડે વિટામિનની ઉણપને પૂરી કરી શકે છે. સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હર્બલ ટી અને સપ્લીમેન્ટ્સ લેવાને કારણે લીવરને ઈજા અને લીવર ફેલ પણ થઈ શકે છે. સૌથી ખતરનાક બોડી બિલ્ડિંગ અને વજન ઘટાડવાના પૂરક છે, જેનાથી કમળો પણ થઈ શકે છે.
સપ્લિમેન્ટ્સનો વધુ ડોઝ લેવાથી લીવરને નુકસાન થઈ શકે
સંશોધન મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દવા અથવા કેમિકલને કારણે લીવરને નુકસાન થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેને હેપેટોટોક્સિસિટી કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધુ સપ્લિમેન્ટ્સ લે છે તો આ સમસ્યા વધુ વધી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'જો સપ્લિમેન્ટ્સ પર નેચરલ લખેલું હોય તો તેનો અર્થ એ નથી કે તે સલામત છે. એ નોંધવું અગત્યનું છે કે સપ્લિમેન્ટ્સનો વધુ ડોઝ લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે. યાદ રાખો કે 'નેચરલ' નો અર્થ સુરક્ષિત નથી, તેથી જો તમે સપ્લીમેન્ટ્સ લેતા હોવ તો પહેલા ડૉક્ટરની સલાહ લો જેથી તેઓ તમારા સ્વાસ્થ્ય અનુસાર યોગ્ય માર્ગદર્શન આપી શકે.
સાથે જ આ ગેરફાયદા પણ થાય છે
વધુ પડતા સપ્લીમેન્ટ્સ લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે તેમજ ઝડપથી વજન વધવું, માથાનો દુખાવો, ઉબકા કે કબજિયાત જેવી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિ એ વિચારીને સપ્લીમેન્ટ્સ લે છે કે તે માત્ર એક વિટામિનની ગોળી છે પરંતુ તેનાથી થતા નુકસાન વિશે તેઓ વિચારતા નથી. લોકોએ સપ્લિમેન્ટના ડોઝનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિનરલ્સ અને ફેટમાં દ્રાવ્ય વિટામિન્સની વધુ માત્રા લેવાથી શરીરમાં ઝેરનું નિર્માણ થઈ શકે છે જે યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy