ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારતમાં આવેલી આ જગ્યા શા માટે કહેવાય છે સૌથી ખતરનાક? અહીં પહોંચતા જ જીવ જોખમમાં મુકાય છે, જાણો શું છે રહસ્ય

OMG / ભારતમાં આવેલી આ જગ્યા શા માટે કહેવાય છે સૌથી ખતરનાક? અહીં પહોંચતા જ જીવ જોખમમાં મુકાય છે, જાણો શું છે રહસ્ય

Published By: Pravin Joshi

Last Updated: 12:16 AM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના અંદમાન અને નિકોબાર ટાપુસમૂહમાં આવેલો 'નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ' વિશ્વની સૌથી ભયાનક અને રહસ્યમય જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.

ADVERTISEMENT

પૃથ્વી પર એવી અનેક જગ્યાઓ છે જે પોતાની પ્રાકૃતિક સુંદરતા અને રહસ્યો માટે જાણીતી છે, પરંતુ ભારતમાં જ એક એવો પણ વિસ્તાર છે જ્યાં પગ મૂકવાનો અર્થ સીધો મોતને વહાલ કરવાનો થાય છે. અંદમાન અને નિકોબાર ટાપુસમૂહમાં સ્થિત 'નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ' ને દુનિયાનો સૌથી ખતરનાક અને અલગ-થલગ દ્વીપ માનવામાં આવે છે. ઘાટા જંગલો અને સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુ પર વસતા 'સેન્ટિનલીઝ' (Sentinelese) આદિવાસીઓ આજે પણ આધુનિક માનવ સભ્યતાથી હજારો વર્ષ પાછળ છે.

North Sentinel Island

આધુનિક દુનિયાથી અળગું જીવન અને હિંસક વલણ

સેન્ટિનલીઝ જનજાતિ આજે પણ શિકાર કરીને અને પ્રાકૃતિક સંસાધનો પર જ પોતાનું ગુજરાન ચલાવે છે. બાહ્ય દુનિયા સાથે તેમનો સંપર્ક શૂન્ય છે. જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ કે વહાણ આ ટાપુની નજીક જવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ આદિવાસીઓ ધનુષ અને તીર વડે તેમના પર હુમલો કરી દે છે.

2004 ની સુનામીનો કિસ્સો

'ધ ગાર્ડિયન' ના અહેવાલ મુજબ, 2004 માં આવેલા ભીષણ સુનામી બાદ જ્યારે ભારતીય તંત્ર દ્વારા આ આદિવાસીઓની સ્થિતિ જાણવા અને મદદ પહોંચાડવા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું, ત્યારે તેમણે રાહત સામગ્રી લેવાને બદલે હેલિકોપ્ટર પર પણ તીરોનો વરસાદ કરી દીધો હતો.

didha - 2026-09-21T001429.328

અમેરિકી મિશનરીની હત્યા

'ડેલી મેલ' ના રિપોર્ટ અનુસાર, કેટલાક વર્ષો પહેલાં જ્હોન એલન ચૌ નામનો એક અમેરિકી મિશનરી ચોરી-છૂપીથી આ ટાપુ પર પહોંચ્યો હતો. પરંતુ કિનારે પગ મૂકતાં જ આદિવાસીઓએ તીરોથી વિંધીને તેની હત્યા કરી નાખી હતી.

રોગપ્રતિકારક શક્તિનો અભાવ

બાહ્ય દુનિયાથી તદ્દન અલગ રહેતા આ આદિવાસીઓમાં સામાન્ય શરદી, ફ્લૂ કે વાયરસ સામે લડવાની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) હોતી નથી. બહારથી જતી કોઈ વ્યક્તિ દ્વારા ફેલાયેલો નાનો વાયરસ પણ આખી જનજાતિનો વિનાશ નોતરી શકે છે.

વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

કાનૂની સુરક્ષા

ભારતીય પ્રશાસને આ જનજાતિના અસ્તિત્વ અને સંસ્કૃતિને બચાવવા માટે ટાપુની ચારેય તરફ 5 કિલોમીટરના વિસ્તારને 'નો ગ્રીન ઝોન' અને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. આ આદિવાસીઓ પર ભારતીય કાયદા હેઠળ કેસ ચલાવી શકાતો નથી કારણ કે તેમની સાથે સંપર્ક કરવો જ ગેરકાનૂની છે.આ તમામ કારણોસર, અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવતો આ ભારતીય ટાપુ સામાન્ય લોકો માટે અત્યંત ભયાનક અને અગમ્ય બનેલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NorthSentinelIsland SentineleseTribe MysteryIndia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ