વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે, કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં કોઇ કાપ મૂકવાની યોજના નથી. વાસ્તવમાં કેટલાક દિવસથી એવી અફવાહ હતી કે, કોરોના વાયરસને કારણે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં કાપ મૂકી શકે છે.
જોકે હવે વિત્ત મંત્રાયલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ કે, કેન્દ્રીય કર્મચારીઓની વેતનમાં કોઇ પણ પ્રકારનો કાપ નહી મૂકવામાં આવે, તેમણે પૂરુ વેતન આપવામાં આવશે. આ અંગે જે કંઇ પણ અફવાહ ફેલાવવામાં આવી રહી છે તે ખોટી અને નિરાધાર છે.
There is no proposal under consideration of Govt for any cut whatsoever in the existing salary of any category of central government employees.
The reports in some section of media are false and have no basis whatsoever.@nsitharamanoffc@PIB_India@DDNewslive@airnewsalerts
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 11, 2020
વિત્ત મંત્રાલયે પોતાના ઑફિશ્યલ ટ્વિટર પરથી ટ્વીટ કરીને કહ્યુ કે, ''કેન્દ્ર સરકારના કર્મચારીઓને કોઇ પણ શ્રેણીના હાલના વેતનમાં કોઇ પણ વેતન માટે સસરકાર પાસે કોઇ પ્રસ્તાવ નથી. મીડિયાના કેટલાક વર્ગો દ્વારા ખોટી અફવાહ ફેલાવવામાં આવી છે જેનો કોઇ આઘાર નથી.''
તો બીજી તરફ કોમર્સ મિનિસ્ટ્રીએ લૉકડાઉનમાં કંપનીઓને ભેટ આપી છે. જાણકારી અનુસાર, અલગ અલગ રાજ્યોમાં સ્થિત સ્પેશયલ ઇકૉનોમી ઝોનમાં રહેલી કંપનીઓના યૂનિટ માટે આ વર્ષે લીઝ રેન્ટ વધારવામાં નહી આવે. આ સાથે જ કંપનીઓ ચાલી રહેલા ત્રિમાસિક લીઝ રેન્ટ જૂલાઇ 31 સુધી ભરી શકશે, જેના પર કોઇ પણ વ્યાજ નહી લાગે.