નિત્યાનંદે અમદાવાદના અંધજન મંડળને પણ છેતર્યું હતું. દિવ્યાંગ બાળકની દેખતા કરી દેવાનો દાવો કર્યો હતો. આ અંગે VTV એ ખાસ અંધજનમંડળના પ્રિન્સિપલ સાથે વાત કરી હતી જેમાં આ ધુર્ત લૂંટારાના ચોંકાવનારા ખુલાસા થયા હતા. અંધજન મંડળને સ્વામી નિત્યાનંદે એવી ગેરન્ટી આપી હતી કે તે તમામ અંધ બાળકોને દેખતા કરી દેશે. જો કે તે પોતાનું વચન પાળી શક્યો નહતો.
VTV એ અંધજનમંડળના પ્રિન્સિપલ મનુભાઈ સાથે સીધી વાત કરી હતી જેમાં કેટલીક ચોંકાવનારી જાણકારી સામે આવી હતી. ત્યારે નિત્યાનંદ સ્વામીનો કડવો અનુભવ આ સંસ્થાને પણ થઈ ચુક્યો છે. આ અંગે શબ્દ સહ અહીં રજુ કરીએ છીએ.
અંધજન મંડળના 82 બાળકો
અંધજનમંડળના 82 બાળકો પર નિત્યાનંદે પ્રયોગ કર્યો હતો. માણસમાં ત્રીજી આંખ હોવાનો નિત્યાનંદે દાવો કર્યો હતો. ત્રીજી આંખથી અંધ વ્યકિત પણ દેખતો થયો હોવાનો પોકળ દાવો કર્યો હતો. જો કે અંધજન મંડળને દાવામાં તથ્ય ન જણાતા પ્રયોગ અટકાવ્યો હતો.
બાળકો દેખતા હોય તેવું આભામંડળ ઉભુ કરતો
નિત્યાનંદના અનુયાયીઓ બાળકોને કાનમાં પહેલેથી જ કહી દેતા હતા અને કાનમાં કહ્યા બાદ બાળકને એ વસ્તુ બતાવવામાં આવતી એટલે બાળક ઓળખી જાય છે તેવી આભા ઉભી કરતો હતો નિત્યાનંદ. નિત્યાનંદ બાળક દેખતો હોય તેવું આભા મંડળ ઉભું કર્યુ હતું.