બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / nithyananda ahmedabad missing girl on video
ADVERTISEMENT
શું કહ્યુ યુવતીએ ?
હું મારી મરજીથી આશ્રમમાં ગઈ છું. મને પાછી લઈ જવા માટે દબાણ કરાઈ રહ્યું છે. મને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. હું આશ્રમ છોડવા નથી માંગતી. મારા માતા-પિતાએ પોલીસનો દુરુપયોગ કર્યો છે. માતા સાથે રહેતા સંન્યાસીએ મારી પર દુષ્કર્મ કર્યુ છે. શંકરાનંદા સંન્યાસીએ મારી સાથે ખરાબ વર્તન કર્યું છે.
ADVERTISEMENT
શું હતો મામલો?
નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધ ખોળ કરાઈ હતી પરંતુ હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.