અમેરિકાના ન્યૂ યોર્કના અતિવ્યસ્ત વિસ્તાર મેનહેટનમાં શનિવાર રાત્રે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 29 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે યુએન જનરલ એસેમ્બલી માટે ગણતરીના કલાકો બાકી હતા દુનિયાભરના નેતાઓ અહીં ભેગા થઈ રહ્યા હતા.
ન્યૂ યોર્ક સિટી પોલિસ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશ્નર ફોર કમ્યુનિકેશન એન્ડ પબ્લિક ઇન્ફોર્મેશન જે પીટર ડોનાલ્ડે ટ્વીટ કરીને વિસ્ફોટની પૃષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ શનિવાર સાંજે સાડા આઠ વાગ્યે ચેલ્સિયા પાસે થયો હતો. ઘટનાની ખબર મળતા જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓથી જોડાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઘટનાસ્થળની આસપાસ હાજર લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વિસ્ફોટ પછી તે વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો. ત્યાં હાજર રેસ્ટોરંટ અને દુકાનોમાં હાજર લોકોને પણ ત્યાંથી હટી જવા કહેવામાં આવ્યું હતું. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.