ઘાનાના કેપિટલ અક્રા સ્થિત એક વિશ્વવિદ્યાલયમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવવા માંગ ઊઠી છે. ગાંધીજીની એક 'રેસિસ્ટ' ટિપ્પણીને લઈને પાછલા કેટલાક દિવસોથી તેમની પ્રતિમા હટાવવાની માંગ થઈ રહી છે. જોકે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ પગલુ પ્રતિમાના રક્ષણ માટે ભરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ વર્ષે જુન મહિનામાં ઘાના યુનિવર્સિટિમાં બાપુની પ્રતિમાનું ઉદ્ગાટન કર્યું હતું. પરંતુ યુનિવર્સિટીના એક પ્રોફેસરે પાછલા મહિને તેને હટાવવા માટે અરજી દાખલ કરી હતી. ત્યારે ઘાનાના વિદેશ મંત્રાલયનું પણ કહેવું હતું કે સરકાર મૂર્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આને યુનિવર્સિટીથી હટાવીને બીજી જગ્યાએ લગાવવી જોઈએ.