દિવસભરના થાક બાદ જ્યારે તમને ચેનની નીંદ આવી જાય તો બીજો દિવસ એકદમ ફ્રેશ બની જાય છે. પરંતુ દરેક માટે રાત્રે સારી ઊંઘ આવવી એ હકીકત બનતું નથી. આ બીમારીને નાઇટ ડ્રેડ તરીકે ઓળખવામાં આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે મોટા ભાગે કામકાજી લોકોને રાતના વારેઘડીએ જાગવાની આદત પડી જાય છે. જો તમારો આંખો પણ વગર કારણે રાતના ખુલી જતી હોય તો તમને કટસ્ટ્રોફિરિંગ અથવા નાઇટ ડ્રેડ નામની બીમારી હોઈ શકે. આ બીમારીમાં અડધી રાતે ઊંઘમાં આંખો ખુલી જાય છે અને વ્યક્તિ ચોંકીને બેસી જાય છે.
આ બીમારીનાં ઘણાં કારણો હોઈ શકે જેમ કે મોડી રાત સુધી જાગવું ખાવા-પીવાની આદતો બગડવી ડિપ્રેશન તણાવ અથવા પસીનો છૂટવો વગેરે.
આ બીમારીથી બચવા માટે હકારાત્મક વિચારો અપાનાવો અને પોતાના મનની વાતો તમારા નજીકના મિત્રો સાથે શેર કરો અથવા પોતાની લાગણીઓ તમારી ડાયરીમાં લખી લો.