નવી દિલ્હી: આને સરકાર તરફથી વધી રહેલું દબાણ કહો કે માર્કેટમાં પોતની શાખ સુધારવાનો કીમિયો. ભલે કારણે ગમે તે કારણ હોય મોબાઇબલ ઓપરેટરોએ કોલ ડ્રોપ થવાની ઘટનામાં ગ્રાહકોને પોતાની રીતે તેનું વળતર આપવાનું શરૂ કરી દીધું છે. આ દિશામાં ભારતની સૌથી મોટી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર વોડાફેને જાહેરાત કરી છે કે કોઈ કારણોસર કોલ ડ્રોપ થાય ત્યારે વાચતીમાં ખલેલ પડવાની સ્થિતિમાં તે ગ્રાહકને 10 મિનિટનો ફ્રી ટોકટાઇમ આપશે.
ગયા અઠવાડિયે જ કંપનીએ ડેટા ચાર્જીસમાં 67 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. આને રિલાયન્સ જીઓના મોબાઇલ સર્વિસ માર્કેટમાં પદાર્પણથી ઊભી થયેલી સ્પર્ધાની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. વોડાફોન તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સુવિધા વોડાફોન ડિલાઇટ્સ બોનાંઝા નામથી શરૂ કરવામાં આવી છે.