બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / New Year celebrations today- Temples crowded from early morning, PM Modi attacked Rahul Gandhi in MP, lift accident in Ahmedabad
Vishal Khamar
Last Updated: 11:39 PM, 14 November 2023
આજથી ગુજરાતી કેલેન્ડ અનુસાર ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત. રાજ્ય ભરનાં મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી. લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શુભેચ્છા મુલાકાત કરશે.
Predict the winners of the #CWC23 semi-finals and final 🏆⬇️ pic.twitter.com/thXrekcajZ
— ICC Cricket World Cup (@cricketworldcup) November 12, 2023
હાલમાં ચાલી રહેલો વર્લ્ડ કપ 2023 હવે અંત તરફ છે હવે માત્ર બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ જ છે. બુધવારે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (Ind vs NZ સેમીફાઇનલ) આમને-સામને ટકરાશે. જ્યારે બીજી અંતિમ ચાર મેચમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ગુરૂવારે ઇડન ગાર્ડન્સ ખાતે આમને-સામને થશે. અને આઇસીસીએ આ બંને નોકઆઉટ મેચના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો સેમિ ફાઈનલમાં કોઈ વિઘ્ન સર્જાય તો જુદા-જુદા નિયમોનો ઉપયોગ કરવામાં આવશે.
Morne Morkel resigns as Pakistan bowling coach
— PCB Media (@TheRealPCBMedia) November 13, 2023
Details here ⤵️ https://t.co/El3BgWVbjh
વર્લ્ડ કપમાં કારમી પછડાટ ખાઈને ઘરભેગી થયેલી પાકિસ્તાન ટીમને ત્યાં પહોંચતાં જ આંચકો લાગ્યો છે. વર્લ્ડ કપમાં ટીમના ભારે ધબડકા બાદ પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ મોર્ની મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ ટીમના નવા બોલિંગ કોચની જાહેરાત કરશે.
અમદાવાદ શહેરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બનવા પામ્યો છે. જેમાં 6 વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વસંત વિહાર ફ્લેટ -2 માં 6 વર્ષીય બાળક રમતા રમતા લીફ્ટ સુધી પહોંચી ગયો હતો. જે બાદ અચાનક જ લીફ્ટનો દરવાજો બંધ થઈ જતા અને લીફ્ટ ચાલુ થઈ જતા બાળકનું માથું લીફ્ટમાં ફસાઈ જતા બાળકનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રહીશો દ્વારા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગ્રેડ તેમજ ઈમરજન્સી 108 ને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ તેમજ 108 દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકનાં મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
રાજકોટનાં પાજ્ઞિક રોડ પર ખરીદી કરીને પરત જઈ રહેલ વૃદ્ધને કાર ચાલક યુવક અને યુવતી દ્વારા આધેડ સાથે તકરાર કરી હતી. તેમજ આધેડ સાથે વાહન ચલાવવા બાબતે સિનિયર સીટીઝન સાથે બફાટ કર્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે.
સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ ચાલી રહ્યું છે. આ મહા પર્વ પર અનેક સ્થળોએ આગના બનાવો બન્યા છે. સુરતમાં એક જ દિવસમાં 125 આગના બનાવો બન્યા છે તો બીજી તરફ પોરબંદરમાં 30 બનાવો બન્યા છે. જ્યારે રાજકોટમાં 124 આગના કોલ ફાયર વિભાગને મળ્યા છે.
અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વિગતો મુજબ અહી આ નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે. કબીર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. ઓર્ડરની શરૂઆતમાં જ વંદો નીકળતા જમ્યા વિના ગ્રાહક પરત ફર્યો હતો. આવી ગંભીર બેદરકારીના અવાર નવાર અનેક હોટલો અને પીઝા પોઈન્ટના વીડિયો સામે આવે છે.
બ્રિટનમાં સોમવારે મોટો રાજકીય ફેરબદલ જોવા મળ્યો હતો. વડા પ્રધાન ઋષિ સુનકે ભારતીય મૂળના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેનને તેમની કેબિનેટમાંથી બરતરફ કર્યા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને તેમના વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેઓ સાત વર્ષ પછી રાજકારણમાં પાછા ફર્યા. દરમિયાન સુએલા બ્રેવરમેનના સ્થાને જેમ્સ ક્લેવરલીની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ જેમ્સ બ્રિટનના વિદેશ મંત્રી તરીકે કામ કરતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર OBC સમુદાયને અનામત ન આપવાનો આરોપ લગાવ્યો છે. છત્તીસગઢના મહાસમુંદમાં વિજય સંકલ્પ મહારેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ સુધી કોંગ્રેસે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો ન હતો. આ દરમિયાન પીએમ મોદીએ પણ ઈશારા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે PM PVTG આદિવાસી જૂથોના વિકાસ મિશનને લોન્ચ કરશે. આઝાદી પછી પહેલીવાર મોદી સરકાર આદિવાસી ગૌરવ દિવસના અવસર પર PVTGનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે રૂ. 24,000 કરોડની યોજના શરૂ કરી રહી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યાને 35 કલાકથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી બચાવ કાર્ય પૂર્ણ થયું નથી. અકસ્માતના 30 કલાક બાદ રાજ્યના સીએમ પુષ્કર ધામી ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓ સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના છે કે અંદર ફસાયેલા કામદારો સુરક્ષિત રીતે બહાર આવે અને આ માટે પ્રયાસો ચાલુ છે. સીએમ ધામીના આ નિવેદનથી અનેક સવાલો ઉભા થયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime