ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:42 PM, 28 August 2026
ADVERTISEMENT
નેપાળમાં અચાનક આવેલા પૂરે ભયંકર તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા છે અને 1,400થી વધુ હજુ પણ ગાયબ છે. જેમાં તીવ્ર પાણી સાથે બરફ, પથ્થર અને માટીનો વિશાળ જથ્થો નીચે ધસી આવ્યો હતો જેના કારણે રસ્તા, પુલ, ઘરો અને મકાનો વહી ગયા હતા.
ADVERTISEMENT
શરુઆતમાં એવું જાણવા મળ્યું છે કે લાંગતાંગ લિરુંગ વિસ્તારમાં પહાડમાંથી ગ્લેશિયર અને મોટી ચટ્ટાનનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જેમાં બરફ અને પથ્થરનો આ કાટમાળ નદીમાં પડતાં તેનો માર્ગ થોડા સમય માટે બંધ થઈ ગયો. બાદમાં જમા થયેલું પાણી અચાનક બહાર નીકળ્યું અને વિનાશક પૂર આવ્યું હતી.
Floods in Nepal wreak havoc, sweeping away several villages and leaving over 1,000 people missing. Bridges and power plants destroyed. Army deployed.
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) August 26, 2026
horrific helicopter view of the Trishuli River corridor after the flood.#NepalFloods #Nepal #Rasuwa #FlashFlood #Floods pic.twitter.com/Gdj3JyAVrX
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોના મતે આ ઘટનામાં માત્ર ગ્લેશિયર જ નહોતો તૂટ્યો. જેમાં પહાડની મોટી ચટ્ટાન પણ ખસી હતી અને તેના સાથે ગ્લેશિયરનો ભાગ નીચે લાવી હતી. આ કાટમાળ લગભગ 5100 મીટરની ઊંચાઈથી 3000 મીટર સુધી નીચે આવ્યો અને નદીનો રસ્તો રોકી દીધો હતો. જ્યારે પાણીનું દબાણ વધ્યું અને આ અવરોધ તૂટ્યો ત્યારે પાણી, બરફ, પથ્થર અને માટી એકસાથે ઝડપથી નીચે વહેવા લાગ્યા હતા.

ADVERTISEMENT
આ ઘટનાની અસર માત્ર પહાડની આસપાસના વિસ્તાર સુધી લીમીટેડ ન રહી. પરંતુ આ પૂર અને કાટમાળની અસર 100 કિલોમીટરથી વધુ દૂર સુધી જોવા મળી હતી. જેમાં અનેક જગ્યાએ રસ્તા અને પુલ તૂટી ગયા હતા. અને રહેણાંક વિસ્તારમાં પાણી અને કચરો ભરાઈ ગયો હતો. શરૂઆતમાં એવું લાગ્યું હતું કે કદાચ ધરતીકંપને કારણે પહાડ તૂટ્યો હશે પરંતુ બાદમાં આંકડા પ્રમાણે મોટું લૅન્ડસ્લાઇડ જ મુખ્ય કારણ હોઈ શકે છે. જેની વૈજ્ઞાનિકો હજુ તપાસ કરી રહ્યા છે.
આ એક ઘટનાને સીધી રીતે આબોહવા પરિવર્તન સાથે જોડવું હજુ મુશ્કેલ છે. જેમાં વૈજ્ઞાનિકો કહે છે કે વધતી ગરમી હિમાલયના ગ્લેશિયરો અને પહાડોને કમજોર બનાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની 2023ના રિપોર્ટ મુજબ છેલ્લા લગભગ 30 વર્ષમાં નેપાળે પોતાના ગ્લેશિયરોનો લગભગ એક તૃતીયાંશ બરફવાળો ભાગ ગુમાવી દીધો છે. 2011થી 2020 વચ્ચે હિન્દુ કુશ હિમાલયમાં ગ્લેશિયરો પીગળવાની ગતિ પહેલાંના દાયકા કરતાં લગભગ 65 ટકા વધી ગઈ છે. જેમાં ગરમી વધતાં ગ્લેશિયર ઝડપથી પીગળે છે અને પહાડોની અંદરની બરફ પણ પીગળી રહી છે. આથી પહાડો કમજોર પડી શકે છે અને મોટા ભાગ તૂટવાનો ખતરો વધી રહ્યો છે.
ADVERTISEMENT
હાલમાં પણ આ વિસ્તારમાં અમુક બરફ અને પાણી જમા છે તેથી આગળ પણ લૅન્ડસ્લાઇડ કે અચાનક પૂર આવવાનો ખતરો જણાઈ રહ્યો છે. નેપાળની આ ઘટના જણાવે છે કે હિમાલયમાં વધતી ગરમીની અસર માત્ર ગ્લેશિયરો સુધી લીમીટેડ નથી. પણ તેમાં ગ્લેશિયરો પીગળવા અને પહાડો કમજોર પડવાથી નીચેના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ ખતરો વધી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો