બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / પલ્લીની આઠમના સાંજના મનમાં બોલી જજો આ શબ્દો, ભરપૂર ધન-દોલત સાથે મળશે સ્વસ્થ્ય શરીર

નવરાત્રી / પલ્લીની આઠમના સાંજના મનમાં બોલી જજો આ શબ્દો, ભરપૂર ધન-દોલત સાથે મળશે સ્વસ્થ્ય શરીર

Published By: Hiralal Parmar

Last Updated: 02:42 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના આઠમા નોરતાનું અનેરુ મહત્વ હોય છે. આ નોરતે સમગ્ર દેશભરમાં માતાજીને વિશેષ ભોગ ધરાવાય છે અને તેમની ઉપાસના કરાય છે. આ પ્રસંગને લઈને પ્રવર્તી રહેલી માન્યતાની અહીં વાત કરાઈ છે.

અપાર ધન-દૌલત સાથે નિરોગી કાયા મેળવવાનું કોને ન ગમે? ગમે તેમ કરીએ તો પણ આવું શક્ય બની શકતું નથી પરંતુ નવરાત્રીના આઠમા નોરતે આ શક્ય બની શકે છે બસ તમારે ફક્ત એક નાનકડું કામ કરવાનું છે.

શું હોય છે નવરાત્રીની પલ્લી

નવરાત્રીના આઠમા નોરતાને પલ્લીની આઠમ ગણવામાં આવે છે. પલ્લી એટલે માતાજીને વિશેષ ભોગ ધરાવાય છે અને આ દિવસનું ખૂબ મોટું મહત્વ હોય છે. શહેરમાં કે બીજે વસતાં લોકો પલ્લીની આઠમે પોતાના ગામ જતાં હોય છે અને પલ્લી ભરતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે પલ્લીની આઠમ સંબંધિત ધાર્મિક માન્યતા પ્રવર્તી રહી છે.

શું છે માન્યતા

પલ્લીની આઠમ પર એક વિશેષ માન્યતા પ્રવર્તી રહી છે. આઠમા નોરતે સાંજના સમયે કોઈ મંદિરમાં અથવા તમારા કૂળદેવીના મંદિરે જઈને એક ખાસ શબ્દોની અસર પડે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સાંજના સમયે હૃદય-મનમાં ખુબ જ સારો ભાવ રાખીને જગતનું કલ્યાણ, થજો, જગતનું કલ્યાણ જજો અને હે ઈશ્વર જેને જે જોઈએ તે આપજે. પોતાના માટે કંઈ ન માગતા, બીજા માટે સારો ભાવ રાખવો, તેની જરુર અસર પડશે, આવા શબ્દો વારંવાર બોલવાથી તમારા ભાગ્યના દ્વાર ખુલે છે અને એક સારો ભાવ હૈયામાંથી ઉઠીને બ્રહ્માંડમાં વિલિન થાય છે જે સરવાળે તમને ફાયદામાં રાખે છે. આ શબ્દો બોલવાથી તમારે માટે અપાર ધન-સંપત્તિના દ્વાર ખુલે છે અને તમારુ શરીર પણ નિરોગી રહે છે.

વધુ વાંચો : VIDEO : જુગાડબાજ! OYOમાં જગ્યા ન મળતાં કપલે ચાલુ બાઈક પર શરુ કરી ઈશ્કબાજી, કર્યો જોરદાર રોમાન્સ

અપાર ધન-સંપત્તિના દ્વાર ખુલે છે

પલ્લીમીની આઠમે મંદિરમાં શાંત-ભાવે પ્રાર્થના કરવાથી તમારે માટે અપાર ધન-સંપત્તિના દ્વાર ખુલે છે તે ઉપરાંત તમે કેટલાક વિશેષ મંત્રોનો પણ જાપ કરી શકો છો. આવું કરવાથી તમે ચોક્કસ ફાયદામાં રહેજો.

રૂપાલની પલ્લી વિશ્વભરમાં પ્રખ્યાત

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષે ભરાતી પલ્લી દુનિયાભરમાં ફેમસ છે. દર વર્ષે શારદીય નવરાત્રીના નોમના દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે વરદાયિની માતાની પલ્લી ભરવામાં આવે છે. રૂપાલ ગામની શેરીઓમાંથી માતાજીની પલ્લી યાત્રાને નીકાળવામાં આવે છે. પલ્લી યાત્રામાં ભક્તો ઘીનો અભિષેક કરે છે. ઘીના અભિષેકથી સમગ્ર ગામ ઘીથી લથપથ થઈ જાય છે. માતાજીની પલ્લી ખાસ કરીને ઘી ચડાવવાની પ્રથા માટે જાણીતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2025 news Navratri 2025

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ