બ્રેકિંગ ન્યુઝ
Road Accident : દેશમાં હાલના દિવસોમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માર્ગો પર વધતી વાહન સંખ્યા, બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન ભીષણ અકસ્માતોનું કારણ બની રહી છે.
ADVERTISEMENT
સોમવારે મોડી રાતે રાત્રે 10 વાગ્યે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના દેવા-ફતેહપુર રોડ પર કલ્યાણી નદીના પુલ પાસે, એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા ભયાવહ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો.
ADVERTISEMENT
Six people died in a road accident
— जय कृष्णा / Jay Krishna (@Jaykrishnalive) November 3, 2025
A tragic road accident occurred in Barabanki district of Uttar Pradesh. Near Kutlupur village under the Deva police station area, a speeding truck collided head-on with an Ertiga car. @Uppolice @Barabankipolice
ADVERTISEMENT
આ અકસ્માત બારાબંકીના દેવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કુટલુપુર ગામ પાસે થયો હતો. કાર નવી હતી અને હજુ સુધી નંબર પ્લેટ પણ નહોતી. મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને તપાસના આદેશ આપ્યા છે.

ADVERTISEMENT
કારમાં આઠ લોકો સવાર હતા, જેમાંથી છ લોકોના મોત થયા છે, જ્યારે એક 15 વર્ષનો બાળક અને એક વૃદ્ધ વ્યક્તિની હાલત ગંભીર જણાવાય રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તેમજ તંત્ર દોડી ગયુ હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ADVERTISEMENT
જયપુરના હરમારા વિસ્તારની લોહા મંડી રોડ પર એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત થયો, જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું. એક ઝડપી અને અનિયંત્રિત ડમ્પર ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી બેઠો અને એક પછી એક 17 વાહનોને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ADVERTISEMENT
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. ચેવેલા મંડલના ખાનપુર ગેટ પાસે એક રાજ્ય પરિવહન નિગમ (TGSRTC) ની બસ અને એક ડમ્પર વચ્ચે સામસામે ભયાનક અથડામણ થતાં 17 લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વધુ વાંચો : વધુ એક ભીષણ દુર્ઘટના, ભયાવહ્ હિમસ્ખલનથી 7ના મોત, અનેક ગુમ
રવિવારે સાંજે જોધપુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. માટોડા નજીક એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રક વચ્ચે અકસ્મત થયો હતો. આ અકસ્માતમાં પંદરથી વધુ લોકોના મોત થયા. ફલોદીના પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ મૃત્યુની પુષ્ટિ કરી છે. પીડિતો કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પરત ફરી રહ્યા હતા. બધા મૃતકો જોધપુરના સુરસાગરના રહેવાસી હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.