બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / SIRને કારણે પાછો આવ્યો પતિ, 28 વર્ષથી હતો ગાયબ, મરેલો માનીને પત્નીએ કર્યાં હતા અંતિમ સંસ્કાર
Last Updated: 03:10 PM, 18 November 2025
SIR Drive: હાલ ભારતભરમાં SIR પ્રક્રિયા ચાલે છે. તે અંતર્ગત એક મહિલા સાથે એવું બન્યું છે કે જે વાંચીને તમારા હોશ પણ ઊડી જશે. એક મહિલાને તેનો મૃત પતિ 28 વર્ષે જીવતો મળી આવ્યો છે. ચાલી જાણીએ શું છે સમગ્ર ઘટના.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બગડા ગામમાં સોમવારે એક એવો બનાવ સામે આવ્યો કે ગામલોકો આશ્ચર્યમાં પડી ગયા. 1997ની એક ઠંડી સવારે અચાનક ઘરેથી ગાયબ થયેલા જગબંધુ મંડલ કે જેની પત્નીએ તેને મૃત માનીને જેનાં અંતિમ સંસ્કાર કરી દીધાં હતાં તે અચાનક પોતાનાં જ ઘરે જીવંત ઉભા રહ્યા. મતદાર યાદીના વિશેષ સુધારા (SIR) દરમિયાન થયેલી ચકાસણી દરમિયાન બહાર આવેલ સત્યે સમગ્ર ગામને હચમચાવી દીધું. પત્ની સુપ્રિયા મંડલ અને પરિવાર જેઓએ તેમને ત્રણ દાયકાથી મૃત માની લીધા હતાં અચાનક સામે ઊભેલા જગબંધુને જોઈ ભાવુક બની ગયા.
ADVERTISEMENT
ગાયબ થયા બાદ વર્ષો સુધી પોલીસ, ગામ અને સંબંધીઓએ શોધખોળ કરી પણ કોઈ માહિતી મળી ન હતી. અંતે જ્યોતિષીના “મૃત” જાહેર કર્યા પછી પરિવારએ તેમની વિધિપૂર્વકના અંતિમ ક્રિયાઓ પણ કરી દીધી. સુપ્રિયાએ બે બાળકોને ઉછેરતા જીવન આગળ ધપાવ્યું. પરંતુ દાયકાઓ પછી પરત આવેલા જગબંધુને જોઈ પત્ની અને પરિવારે તરત જ ઓળખ કરી લીધી. તેમના પિતા વિજય મંડલ કહે છે કે “ચહેરો ભલે થોડો બદલાયો હોય, પણ આ જ મારો દીકરો.” ગામ લોકો પણ વર્ષો જૂની તેનો ફોટો જોઈને તેને ઓળખી ગયા.
ADVERTISEMENT
જગબંધુ હાલમાં 55 વર્ષના છે. તેઓ કહે છે કે ગાયબ થયા પછી ગુજરાત, મુંબઈ અને અંતે છત્તીસગઢમાં મજૂરી કરતા રહ્યા. નોકરી ગુમાવતા તેઓ પોતાની જૂની ઓળખ અને અધિકારો પાછા મેળવવા ગામે પરત ફર્યા. પરંતુ SIR દરમિયાન બાંકુરા જિલ્લાની મતદાર યાદીમાં તેમના નામની નીચે એક મહિલા સુલેખા મંડલનું નામ જોવા મળવાથી નવા સવાલો ઊભા થયા. ગામલોકોમાં ચર્ચા શરૂ થઈ કે શું જગબંધુએ બીજીવાર લગ્ન કર્યા હતા? જોકે જગબંધુએ આ તમામ શંકાઓને નકારી કાઢી અને કહ્યું કે “મેં બીજા લગ્ન કર્યા નથી."
ADVERTISEMENT
આ પણ વાંચો: 4 કોર્ટ-2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશના મેઈલથી મચ્યો હડકંપ, વકીલો-જજને બહાર કઢાયાં

ADVERTISEMENT
સ્થાનિક બૂથ કમિટીના સભ્યોએ જણાવ્યું કે જગબંધુ SIR પ્રક્રિયામાં પોતાની ઓળખ અને જમીન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે પરત આવ્યા છે. પરંતુ સમસ્યા એ છે કે તેમની પાસે કોઈ સરનામાનો પુરાવો, ઓળખપત્ર કે અન્ય સત્તાવાર દસ્તાવેજો નથી. તેમનું નામ 28 વર્ષ પહેલાં મતદાર યાદીમાંથી દૂર કરાયું હતું. BLO મુજબ હવે તેમની ઓળખ અને દાવાની સત્તાવાર પુષ્ટિ કરવી ખૂબ જ મુશ્કેલ બનશે. ગામમાં જોકે હજી ચર્ચા છે “શું જગબંધુ પોતાનું જૂનું જીવન પાછું મેળવી શકશે?”
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.