ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ''ડોકલામમાં...'', લોકસભામાં રાહુલ ગાંધી એવું શું બોલ્યા કે મચ્યો હોબાળો, ભડક્યાં અમિત શાહ

બજેટ સત્ર / ''ડોકલામમાં...'', લોકસભામાં રાહુલ ગાંધી એવું શું બોલ્યા કે મચ્યો હોબાળો, ભડક્યાં અમિત શાહ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:37 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gnadhi Loksabha: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એ વખતે હોબાળો થઈ ગયો જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોકલામમાં ચીનીઓની ઘૂસણખોરી અંગે વાત કરી અને રાજનાથ સિંહ પર પ્રશ્નો ઉઠાવ્યા જેના પર સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવ્યા શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Rahul Gnadhi Loksabha: લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જોરદાર હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જેવો ડોકલામમાં કથિત છીણીઓપની ઘૂસણખોરીનો મામલો ઉઠાવ્યો કે સદનમાં ગરમાવો આવી ગયો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ઊભા થઈ ગયા અને LoP ના દાવાનો વિરોધ કરવા લાગ્યા.

રાહુલ ગાંધીએ તેમની વાત રાખતા એક મેગેઝીન અને એક પુસ્તકનું ઉદાહરણ આપ્યું. તેમનો આરોપ હતો કે આ પુસ્તકને સરકાર પ્રકાશિત થવા દેતી નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ડોકલામ સતહ જોડાયેલા મુખ્ય સત્યોને દબાવવણો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સરકાર સત્યતા સામે લાવી રહી નથી. કારવાંના પુસ્તકની વાત પર રોક લગાવ્યા પછી રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો.

રાહુલ ગાંધીના આ નિવેદન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ તુરંત ઊભા થઈ ગયા અને વિપક્ષના નેતાને તેમના દાવાના આધાર પૂછ્યા. રાજનાથ સિંહે કહ્યું કે આ પ્રકારના ગંભીર આરોપ કોઈ પ્રમાણ વિના લગાવી શકાય નહીં. તેમણે એ પણ માણ્યું કે કારવાંની પુસ્તક પ્રકાશિત કરવામાં આવી નથી, જે પછી ગૃહ મંત્રી અમિત શાહે હસ્તક્ષેપ કર્યો. અમિત શાહે પ્રશ્ન ઉઠાવ્યો કે જે પુસ્તક પ્રકાશિત જ થયું નથી તેને ગૃહમાં કેવી રીતે ટાંકવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે કારવાં પુસ્તકમાં તથ્યોને ફેરબદલ કરીને રજુ કરવામાં આવ્યા છે.

આ આખા વિવાદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ સ્પષ્ટ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે સંસદના અમુક નિયમો મુજબ કોઈપણ અપ્રકાશિત પુસ્તક કે છાપાનો હવાલો સદનમાં આપી શકાય નહીં. ત્યાં સુધી કે જ્યારે કોઈ પુસ્તક પબ્લીશ થઈ જાય તો પણ તેને વાંચીને તેનો સંદર્ભ લઈને તે વિશે વાત કરવી એ સદનના નિયમોની વિરુદ્ધ છે. સ્પીકરે કહ્યું કે આ વિશે પહેલા પણ સભ્યોને નિર્દેશ આપવામાં આવી ચૂક્યો છે.

જો કે સોઈકર અને મંત્રીઓએ સવાલ ઉઠાવ્યા તે છતાં પણ રાહુલ ગાંધી તેમના નિવેદન પર કાયમ રહ્યા. તેમણે મેગેઝીનના પુસ્તકને "100% authentic" ગણાવતા કહ્યું કે જો સરકાર કોઈપણ પુસ્તક પ્રકાશિત થવા નથી દેતી તો તેનો સીધો મતલબ છે કે તેમઆ લખેલી વાતો સાચી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પારદર્શિતા રાખવામાં આવી રહી નથી.

આ પણ વાંચો: એક જ એડ્રેસ, એક જ મોબાઇલ નંબર, છતાંય 25 પાસપોર્ટ બની ગયા, આ કેવી લાલિયાવાડી

vtv app add

રાહુલ ગાંધીના ભાષણના બચાવમાં સમાજવાદી પાર્ટીના પરમુખ અખિલેશ યાદવ પણ ઊભા થઈ ગયા. તેમને પણ બોલવાથી અટકાવી દેવાયા અને આ વચ્ચે અમિત શાહે ઊભા થઈને રાહુલ ગાંધી પર સદનને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Doklam infiltration controversy Rahul Gandhi Lok Sabha speech Parliament Session

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ