ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ''ડોકલામમાં...'', લોકસભામાં રાહુલ ગાંધી એવું શું બોલ્યા કે મચ્યો હોબાળો, ભડક્યાં અમિત શાહ
Last Updated: 02:37 PM, 2 February 2026
ADVERTISEMENT
Rahul Gnadhi Loksabha: લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જોરદાર હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જેવો ડોકલામમાં કથિત છીણીઓપની ઘૂસણખોરીનો મામલો ઉઠાવ્યો કે સદનમાં ગરમાવો આવી ગયો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ઊભા થઈ ગયા અને LoP ના દાવાનો વિરોધ કરવા લાગ્યા.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ તેમની વાત રાખતા એક મેગેઝીન અને એક પુસ્તકનું ઉદાહરણ આપ્યું. તેમનો આરોપ હતો કે આ પુસ્તકને સરકાર પ્રકાશિત થવા દેતી નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ડોકલામ સતહ જોડાયેલા મુખ્ય સત્યોને દબાવવણો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સરકાર સત્યતા સામે લાવી રહી નથી. કારવાંના પુસ્તકની વાત પર રોક લગાવ્યા પછી રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો.
ADVERTISEMENT
રાહુલ ગાંધીના આ નિવેદન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ તુરંત ઊભા થઈ ગયા અને વિપક્ષના નેતાને તેમના દાવાના આધાર પૂછ્યા. રાજનાથ સિંહે કહ્યું કે આ પ્રકારના ગંભીર આરોપ કોઈ પ્રમાણ વિના લગાવી શકાય નહીં. તેમણે એ પણ માણ્યું કે કારવાંની પુસ્તક પ્રકાશિત કરવામાં આવી નથી, જે પછી ગૃહ મંત્રી અમિત શાહે હસ્તક્ષેપ કર્યો. અમિત શાહે પ્રશ્ન ઉઠાવ્યો કે જે પુસ્તક પ્રકાશિત જ થયું નથી તેને ગૃહમાં કેવી રીતે ટાંકવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે કારવાં પુસ્તકમાં તથ્યોને ફેરબદલ કરીને રજુ કરવામાં આવ્યા છે.
આ આખા વિવાદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ સ્પષ્ટ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે સંસદના અમુક નિયમો મુજબ કોઈપણ અપ્રકાશિત પુસ્તક કે છાપાનો હવાલો સદનમાં આપી શકાય નહીં. ત્યાં સુધી કે જ્યારે કોઈ પુસ્તક પબ્લીશ થઈ જાય તો પણ તેને વાંચીને તેનો સંદર્ભ લઈને તે વિશે વાત કરવી એ સદનના નિયમોની વિરુદ્ધ છે. સ્પીકરે કહ્યું કે આ વિશે પહેલા પણ સભ્યોને નિર્દેશ આપવામાં આવી ચૂક્યો છે.
ADVERTISEMENT
જો કે સોઈકર અને મંત્રીઓએ સવાલ ઉઠાવ્યા તે છતાં પણ રાહુલ ગાંધી તેમના નિવેદન પર કાયમ રહ્યા. તેમણે મેગેઝીનના પુસ્તકને "100% authentic" ગણાવતા કહ્યું કે જો સરકાર કોઈપણ પુસ્તક પ્રકાશિત થવા નથી દેતી તો તેનો સીધો મતલબ છે કે તેમઆ લખેલી વાતો સાચી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પારદર્શિતા રાખવામાં આવી રહી નથી.
ADVERTISEMENT

રાહુલ ગાંધીના ભાષણના બચાવમાં સમાજવાદી પાર્ટીના પરમુખ અખિલેશ યાદવ પણ ઊભા થઈ ગયા. તેમને પણ બોલવાથી અટકાવી દેવાયા અને આ વચ્ચે અમિત શાહે ઊભા થઈને રાહુલ ગાંધી પર સદનને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.