બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 PM, 29 August 2025
જાપાનની મુલાકાત પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે ભારતમાં હવે માત્ર મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જ નહિ, પણ 7000 કિલોમીટર લાંબું બુલેટ ટ્રેન નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજના જાપાનની સહભાગીતાથી હાથ ધરવામાં આવશે અને મોટા પાયે ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત વિકાસ થશે. પીએમ મોદીએ જાપાનના જાણીતા અખબાર 'યોમિયુરી શિંબુન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી.
ADVERTISEMENT
Addressed a business event in Tokyo. The presence of Prime Minister Ishiba made this even more special, also indicating the priority we accord to bilateral economic linkages.
— Narendra Modi (@narendramodi) August 29, 2025
Spoke about India's deep economic ties with Japan and also listed areas where cooperation can deepen in… pic.twitter.com/mfBpv1TCQf
મોદીએ કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના ભારત-જાપાન વચ્ચેની એક મુખ્ય પ્રોજેક્ટ છે. તેમણે ઉમેર્યું કે આખા દેશમાં 7000 કિમી સુધી હાઈ સ્પીડ રેલ નેટવર્ક બનાવવા માટેની યોજનાની શરૂઆત થઈ ગઈ છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે આ મોટાભાગનું ઇન્ફ્રાસ્ટ્રકચર ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત બનશે જેથી આ યોજના ટકાઉ અને વ્યવહારિક બની રહે. મોદીએ જાપાની કંપનીઓને આ યાત્રામાં સક્રિય ભાગીદારી માટે આમંત્રિત પણ કર્યા છે. માત્ર રેલ નેટવર્ક જ નહીં, પીએમ મોદીએ જણાવ્યું કે હવે ભારતની અંતરિક્ષ યાત્રામાં પણ જાપાન મોટો સહયોગી બનશે. ISRO અને જાપાનની સ્પેસ એજન્સી મળીને સ્પેસ ક્ષેત્રે નવી સફળતાઓ લખશે.
ADVERTISEMENT

મોદીએ જણાવ્યું કે ભારત અને જાપાન વચ્ચે રક્ષણક્ષેત્રે પણ મજબૂત સહયોગ છે. બંને દેશો ઇન્ડો-પેસિફિક પ્રદેશની શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. આજે બંને દેશો ત્રિ-સેના સહયોગ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજીકલ સહકાર પર કામ કરી રહ્યા છે. જાપાન ભારત માટે મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જાપાન આગામી દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેનનો રોકાણ કરશે. હાલમાં ભારતમાં લગભગ 1500 જાપાની કંપનીઓ કાર્યરત છે, જ્યારે 400થી વધુ ભારતીય કંપનીઓ જાપાનમાં કામ કરી રહી છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: જાપાને અમેરિકાની મુલાકાત રદ્દ કરી દીધી, પીએમ મોદીના પ્રવાસને પગલે નિર્ણય
તેમણે જણાવ્યું કે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ઈનોવેશન અને ટેક્નોલોજીમાં જાપાનની આગળ વધેલી કુશળતા સાથે સંયોજન થવાથી બંને દેશો માટે વિસાળ મૂલ્ય સર્જાઈ શકે છે. પીએમ મોદીએ જણાવ્યું કે 21મી સદીમાં જાપાન ભારતના નવિનતા અને વૈશ્વિક સપ્લાય ચેનના વિકાસમાં એક મુખ્ય ભાગીદાર બનીને ઊભરશે. ઘણા જાપાની ઉદ્યોગો હવે ભારતને માત્ર સ્થાનિક બજાર માટે નહીં, પરંતુ third-country માર્કેટ જેમ કે આફ્રિકા માટે પણ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.