બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ભારત / દિવાળી ઉજવતાં જ મોત! આ ગામમાં સદીઓથી નથી મનાવાતી દિવાળી, એક શ્રાપને કારણે ડર્યાં લોકો
Last Updated: 01:58 PM, 20 October 2025
દિવાળી મનાવવી કોને ન ગમે? નાના મોટા સહુ કોઈ દિવાળીમાં પોતપોતાની રીતે સેલિબ્રેશન કરતાં હોય છે પરંતુ એક ગામ એવું પણ છે જ્યાં સદીઓથી દિવાળી મનાવાતી નથી. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવેલું સમ્મુ ગામ શાપિત ગણાય છે અને અહીં સદીઓથી દિવાળી નથી ઉજવાઈ.
ADVERTISEMENT
અકાળ મોતના ભયથી નથી ઉજવતાં દિવાળી
જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સમ્મુ ગામના લોકો ભોજન બનાવતા નથી, ઘર સજાવતા નથી અથવા દિવાળી ઉજવવાનો પ્રયાસ પણ કરતા નથી. ગામમાં એવી માન્યતા છે કે દિવાળી ઉજવવાનો પ્રયાસ કરવાથી આફત અથવા અકાળ મૃત્યુ થશે. આ ડરથી, ગામલોકો ઉજવણી કરવાની હિંમત કરતા નથી.
ADVERTISEMENT
શું છે કિસ્સો
ગામના વડીલોના મતે, આ શ્રાપ સેંકડો વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, ગામની એક મહિલા દિવાળી પર પિયર જવા નીકળી હતી. તે સમયે તેના પતિ, જે સેનામાં ફરજ બજાવતો હતો, તેનું મૃત્યુ થયું. ગામલોકો તેના મૃતદેહને લઈને પાછા ફરી રહ્યા હતા. આ દૃશ્ય સહન ન કરી શકવાથી, ગર્ભવતી મહિલા તેના પતિ પાછળ સતી થઈ હતી. ત્યારે બાદ ગામલોકોએ તેના માનમાં કદી પણ દિવાળી ન ઉજવાનો નિર્ણય કર્યો અને ત્યારથી આ પ્રથા ચાલી આવે છે.
ADVERTISEMENT
દિવાળી ઉજવતાં ગામમાં થાય છે મોત
સમ્મુ ગામના રહેવાસી રઘુવીર સિંહ રંગડાએ જણાવ્યું કે અમારા વડીલોના સમયથી દિવાળી ઉજવવામાં આવતી નથી. જે કોઈ પણ દિવાળી ઉજવવાનો પ્રયાસ કરે છે તેનું ગામમાં મૃત્યુ થાય છે અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને છે. તેમણે કહ્યું કે લોકોએ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ઘણી વાર પ્રયાસ કર્યા છે, ધાર્મિક વિધિઓ પણ કરી છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી.
ADVERTISEMENT
શું બોલ્યાં સરપંચ
ADVERTISEMENT
ગામના રહેવાશી વિદ્યા દેવીએ કહ્યું કે જ્યારે પણ દિવાળી આવે છે, ત્યારે મારું હૃદય ભારે થઈ જાય છે. ચારે બાજુ પ્રકાશ અને આનંદનું વાતાવરણ હોય છે, પરંતુ તે દિવસે અમારું ગામ શાંત હોય છે. બાળકો પણ ઘરમાં જ રહે છે. દિવાળી પર, અમારા ઘરમાં ન તો દીવા પ્રગટાવવામાં આવે છે કે ન તો કોઈ ખોરાક બનાવવામાં આવે છે." ગામની પરિસ્થિતિ અંગે, ભોરાંજી પંચાયત પ્રધાન પૂજા દેવીએ પણ પુષ્ટિ આપી હતી કે સમ્મુ ગામમાં આજ સુધી દિવાળી ઉજવવામાં આવી નથી. તેમણે કહ્યું, "આ ગામ હજુ પણ તે સતીના શાપના ડરમાં જીવે છે. લોકો ખોરાક રાંધતા નથી કે ફટાકડા ફોડતા નથી. દર વખતે એક જ પ્રશ્ન ઉભો થાય છે: આ ગામ આ શાપથી ક્યારે મુક્ત થશે?
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.