બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોડી રાત્રે દિલ્હીમાં તણાવ, મસ્જિદ પાસે MCDની કાર્યવાહી બાદ પથ્થરમારો, પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ

કાર્યવાહી / મોડી રાત્રે દિલ્હીમાં તણાવ, મસ્જિદ પાસે MCDની કાર્યવાહી બાદ પથ્થરમારો, પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ

Priyankka Triveddi

Last Updated: 08:15 AM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: દિલ્હીના ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ કેમ્પસ પાસે બનેલા ગેરકાયદેસર બાંધકામ પર 6 જાન્યુઆરીની મોડી રાતે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યવાહીથી ભડકેલા લોકોએ દિલ્હી MCD કર્મચારીઓ અને દિલ્હી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા.

Delhi News: દિલ્હીમાં તુર્કમાન ગેટ પર ફૈઝ-એ-ઇલાહી મસ્જિદના બહારના ભાગમાં બનેલા ગેરકાયદેસર હિસ્સાને તોડી પાડવા માટે 6 જાન્યુઆરીની મોડી રાતે 17 બુલડોઝર ફરી વળ્યા હતા. આ વિસ્તાર રામલીલા મેદાનની નજીક આવેલો છે. જેવા દિલ્હી નગર નિગમ (MCD) ના બુલડોઝરે તોડફોડની શરૂઆત કરી તેવી જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને ભડકેલી ભીડે નારેબાજી શરૂ કરી દીધી હતી. આ ભીડને રોકવા માટે પોલીસે પ્રત્યં કરતાં હાલત વધુ તણાવપૂર્ણ બન્યા હતા.

દિલ્હીમાં તુર્કમાન ગેટ પર ફૈઝ-એ-ઇલાહી મસ્જિદના બહારના ભાગમાં બનેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે અડધી રાતે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેવી દિલ્હી નગર નિગમ MCD ની ટીમે બુલડોઝરથી તોડફોડની શરૂઆત કરી કે તરત જ લોકોની ભીડ ભડકી હતી અને તેમણે નારેબાજી શરૂ કરી દીધી હતી. અમુક લોકોએ નરેબાજી શરૂ કરતાંની સાથે MCDની ટીમ પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. જે બાદ હાલત તણાવપૂર્ણ થઈ ગયા હતા.

તુર્કમાન ગેટની બાજુમાં બેરીકેડિંગ લાગેલા હતા તે લોકોએ હટાવીને ત્યાં નરેબાજી શરૂ કરી દીધી હતી. પોલીસે રોકવાની કોશિશ કરી તો લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે પછી પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો અને ઉપદ્રવ કરી રહેલા લોકોને દૂર કરવા માટે પ્રત્યન કર્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. જે બાદ ભીડ અંદરની ગલીઓમાં ભાગી ગઈ હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના પછી MCD એ કાર્યવાહી અટકાવી પડી હતી. આ કાર્યવાહી 17 બુલડોઝર દ્વારા 6 જાન્યુઆરીએ મોડી રાતે શરૂ કરવામાં આવી હતી પણ વિરોધ થતાં કાર્યવાહી અટકાવાઇ દેવાઈ હતી જે આજે સવારે 8 વાગે ફરી તોડફોડ શરૂ કરવામાં આવશે. આ તોડફોડની કાર્યવાહીને લઈને ટ્રાફિક એડવાયઝરી પણ જાહેર કરવામાં આવી છે.

delli

આ પણ વાંચો: 'PM મોદી મારાથી ખુશ નથી કારણ કે...', ભારત સાથેના સંબંધો પર ટ્રમ્પનું મોટું નિવેદન

Vtv App Promotion 2

આ તોડફોડ અભિયાનને જોતાં તેની અસર ટ્રાફિક પર પણ પડશે આ વાતને ધ્યાનમાં લઈને દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાયઝરી જાહેર કરી છે. રામલીલા મેદાનની આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની આશંકા જણાવાઈ છે. JLN રોડ, અજમેરી ગેટ અને મિન્ટો રોડ પર હળવો ટ્રાફિક રહી શકે છે. દિલ્હી ગેટ, BSZ માર્ગ અને NS માર્ગ પર પણ દબાવ રહેવાની શક્યતા છે. યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે જરૂરીના હોય તો આ રસ્તા પર જવાને બદલે ઓપ્શનલ રૂટ લેવો જોઈએ. આ ઉપરાંત કમલા માર્કેટ ગોલ ચક્કરથી આસફ અલી રોડ સુધીનો રોડ સંપૂર્ણ રીતે બંધ રહેશે. દિલ્હી ગેટ અને કમલા માર્કેટથી JLN રોડ સુધી જતાં રસ્તાઓ પર અવરજવર રોકી દેવાઈ છે. મિર્દર્દ ચોકથી ગુરુ નાનક ચોક સુધી મહારાજા રણજીત સિંહ રોડ પણ તોડફોડના લીધે સંપૂર્ણ રીતે બંધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Bulldozer Action Faiz-e-Ilah Mosque MCD Action Delhi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ