કેન્દ્ર સરકારે 1827 કરોડ રૂપિયાની રકમ સાથે આગામી પાંચ વર્ષ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપને ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આગામી પાંચ વર્ષ માટે આ યોજનાનો ટાર્ગેટ આર્થિક રીતે નબળા વર્ગના 14.76 લાખ મેઘાવી વિદ્યાર્થીઓને દર વર્ષે 12000 રૂપિયાની આર્થિક સહાયતા કરવામાં આવશે.
To address the issue of drop-out after class VIII and ensure continuity of education at the secondary stage, PM @narendramodi ji’s govt. has approved the continuation of Means-cum-Merit Scholarship Scheme with an outlay of ₹1827 crore for the next 5 years. pic.twitter.com/J5gi3Imhw3
વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે સ્થાનિક અધિકારીઓ દ્વારા આયોજિત કરવામાં આવતી પરીક્ષાના માધ્યમથી પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા વિદ્યાર્થીને ધોરણ 9થી 12 સુધી સ્કોલરશિપ આપવામાં આવે છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, 2008-099માં તેની શરૂઆત બાદ અત્યાર સુધીમાં 22.06 નેશનલ મીમ્સ કમ મેરિટ સ્કોલશિપ સ્વિકૃત કરવામા આવી છે. આ સ્કોલરશિપ માટે અરજી કરનારા દરેક સ્ટૂડંટને વાર્ષિક 12 હજાર રૂપિયા મળે છે. ઓગસ્ટથી ઓક્ટોબર મહિનાની વચ્ચે તેના માટે અરજીઓ મગાવામાં આવે છે.
સ્કોલરશિપ માટે કોણ કરી શકે અપ્લાઈ
તેના માટે ધોરણમાં ઓછામાં ઓછા 55 ટકા અંક મેળવેલા હોવા જોઈએ. તેના માટે સિલેક્શન ટેસ્ટમાં શામેલ થવું જરૂરી છે. સિલેક્શન ટેસ્ટમાં શામેલ થવા માટે 7માં ધોરણમાં ઓછામાં ઓછા 55 ટકા અંક અનિવાર્ય છે. પારિવારીક વાર્ષિક આવક 1.50 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.
નિયમ તથા શરતો
વિદ્યાર્થી અન્ય કોઈ સ્કોલરશિપનો લાભ ઉઠાવતો ન હોવો જોઈએ.
અરજીકર્તાનું કોઈ પણ પબ્લિક સેક્ટર બેંક અથવા કૌર બૈંકીંગ સુવિધઆવાળી બેંકમાં ખાતું હોવું જરૂરી છે.
સ્કોલરશિપ ચાલુ રાખવા માટે વિદ્યાર્થીને ધોરણ 10માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જોઈએ. જેમાં એસસી/એસટીના વિદ્યાર્થીઓને 5 ટકાની છૂટ આપવામાં આવે છે.
અહીં કરો અરજી
ઈચ્છુક તથા યોગ્ય વિદ્યાર્થી નેશનલ સ્કોલરશિપ પોર્ટલ scholarships.gov.in પર જઈને અપ્લાઈ કરવાનું હોય છે.