બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 PM, 7 December 2025
Car Accident : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સપ્તશૃંગી મંદિરથી પરત ફરી રહેલા પરિવારની ઇનોવા કાર નિયંત્રણ ગુમાવી 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનું ઘટનાસ્થળે જ દુર્ભાગ્યે મોત થયું હતું. અકસ્માત વાણી ગામ નજીકના ભવારી ધોધ પાસે આવેલા ઘાટના ખતરનાક વળાંક પર બન્યો હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
ઓવરટેક દરમિયાન નિયંત્રણ ગુમાવતાં કાર ખીણમાં પટકાઈ
પ્રાથમિક માહિતી મુજબ ઇનોવા કાર ઘાટ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી 800 ફૂટ નીચે ખીણમાં ધસી ગઈ. મૃત્યુ પામનારાઓમાં કીર્તિ પટેલ (50), રસીલા પટેલ (50), વિઠ્ઠલ પટેલ (65), લતા પટેલ (60), પચન પટેલ (60) અને મણિબેન પટેલ (60)નો સમાવેશ થાય છે. બધા જ લોકો પિંપળગાંવ બસવંત ગામના રહેવાસી હતા.
ADVERTISEMENT

બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ
ADVERTISEMENT
અકસ્માતની જાણ થતાં પોલીસ સપ્તશૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદની ટુકડીઓ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ કાર જ્યાં પટકાઈ હતી તે સ્થળ અત્યંત જોખમી અને ઊંડા ખીણવાળો હોવાથી બચાવકર્મીઓને નીચે પહોંચવામાં ભારે અડચણો આવી રહી છે. અત્યાર સુધી મૃતદેહો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાસિકથી વધારાની બચાવ ટીમોને બોલાવી કામગીરી તેજ કરવામાં આવી છે.
महाराष्ट्र का नासिक में एक इनोवा कार खाई में गिरी.
— Vivek Gupta (@imvivekgupta) December 7, 2025
6 लोगो की मौके पर मौत.
सप्तश्रूँगी देवी के दर्शन करने जा रहे थे तभी घाट एरिया में हुआ हादसा.
कार 800 फीट नीचे खाई में गिरी.#Maharashtra pic.twitter.com/Bs5kwiiGx4
ADVERTISEMENT
આ પણ વાંચો : 610 કરોડ રિફંડ, 3000 બેગ આપી, 6 દિવસની અફરા-તફરી બાદ ઈન્ડિગોની 1650 ફ્લાઈટ ટ્રેક પર
રસ્તાની ખરાબ હાલત પર સ્થાનિકોમાં આક્રોશ
ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓએ જાહેર બાંધકામ વિભાગ (PWD) પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, ઘાટનો આ વળાંક વર્ષોથી ખરાબ હાલતમાં છે અને અનેક વખત ફરિયાદો કરવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી. દાવો કરવામાં આવે છે કે રસ્તાની ખરાબ સ્થિતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.