બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:13 PM, 14 August 2025
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મચેલ માતા મંદિર પાસે ગુરુવારે પ્રકૃતિનો પ્રચંડ કહેર જોવા મળ્યો. અચાનક વાદળ ફાટવાના કારણે ભારે પૂર આવી ગયું, જેમાં અનેક લોકોનાં જીવ ગયા અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ફસાઈ ગયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચિશોતી વિસ્તારમાં હિમાલય પર આવેલ માતા ચંડીના મંદિરની યાત્રા દરમિયાન આ ઘટના બની. અત્યાર સુધીમાં 40 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 50થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.
#WATCH | J&K | A flash flood has occurred at the Chashoti area in Kishtwar, which is the starting point of the Machail Mata Yatra. Rescue Operations have been started. pic.twitter.com/dQbUBx46A9
— ANI (@ANI) August 14, 2025
ADVERTISEMENT
આ ઘટના અંગે જાણ થતાં જ રાહત અને બચાવ દળોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર, SDRF અને સેનાની ટુકડીઓ દ્વારા મોટા પાયે ઑપરેશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે આ ઘટના ભારે જાનહાનિનું કારણ બની શકે છે. તેમણે ખાતરી આપી કે પ્રશાસન તરત હરકતમાં આવ્યું છે અને તમામ બચાવ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
આ ઘટનામાં CISFના બે જવાન પણ શામેલ છે. 120થી વધુ લોકો ઘાયલ છે. ઘાયલોને નજીકના હોસ્પિટલો અને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
PM Narendra Modi tweets, "My thoughts and prayers are with all those affected by the cloudburst and flooding in Kishtwar, Jammu and Kashmir. The situation is being monitored closely. Rescue and relief operations are underway. Every possible assistance will be provided to those in… pic.twitter.com/G6vLoFdU5I
— ANI (@ANI) August 14, 2025
વધુ વાંચો : પહેલા ઉત્તરકાશી પછી હિમાચલ પ્રદેશ અને હવે જમ્મુ કાશ્મીર, વધુ એક વાદળ ફાટવાની ઘટના
વડાપ્રધાન મોદીએ આ આપત્તિ પર ગંભીર ચિંતા અને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે,
બધા અસરગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના છે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદોને દરેક શક્ય મદદ મળશે.
વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કન્ટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક સક્રિય કરી દેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં હાઇઅલર્ટ જાહેર છે અને વિશેષ પોલીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે, જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે.
હવામાન વિભાગની ચેતવણી જાહેર
વાદળ ફાટ્યનાની ઘટના બાદ શ્રીનગર હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે, 'આગામી 4-6 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, શ્રીનગર, ગાંદરબલ, બડગામ, પૂંચ, રાજૌરી, રિયાસી, ઉધમપુર, ડોડા, કિશ્તવાડના પહાડી વિસ્તારો, કાઝીગુંડ-બનિહાલ-રામબન ધરીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.