બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:27 PM, 26 March 2026
Petrol-Diesel: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમાં પેટ્રોલિયમ અને એલપીજી પુરવઠાની સ્થિતિ સંપૂર્ણપણે સલામત અને નિયંત્રણમાં છે. બધા રિટેલ ઇંધણ આઉટલેટ્સ પર પૂરતો પુરવઠો છે. દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ અથવા LPG ની અછત નથી. મંત્રાલયે નાગરિકોને ખોટી માહિતી ફેલાવવાના હેતુથી ચાલતા શરારતી, કોઓર્ડિનેટેડ કૈમ્પૈનથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.
ADVERTISEMENT
Ministry of Petroleum and Natural Gas categorically states that India's petroleum and LPG supply situation is fully secure and under control. All retail fuel outlets have enough supplies. There is no shortage of petrol, diesel, or LPG anywhere in the country. The Ministry calls… pic.twitter.com/nzwb0a4TNR
— ANI (@ANI) March 26, 2026
સરકારનું કહેવું છે કે ભારતમાં આગામી 60 દિવસ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. મંત્રાલયે નાગરિકોને બિનજરૂરી ગભરાટ ફેલાવવાના હેતુથી વ્યવસ્થિત અને ખૂબ જ પ્રસારિત ખોટી માહિતીનો શિકાર ન બનવા અપીલ કરી છે.
ADVERTISEMENT
તાજેતરમાં સોશિયલ મીડિયા પર LPG સિલિન્ડર સંબંધિત અનેક અફવાઓ ફેલાઈ રહી છે. જેને લઈને લોકોમાં ગૂંચવણ અને ચિંતા જોવા મળી રહી છે. સરકારએ આ તમામ દાવાઓને ખોટા ગણાવી સ્પષ્ટતા કરી છે કે હાલના નિયમોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
સરકારના જણાવ્યા મુજબ LPG રિફિલ બુકિંગ માટેના નિયમો પહેલાની જેમ જ યથાવત છે. શહેરી વિસ્તારોમાં સિલિન્ડર બુકિંગ માટે 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનો અંતરાલ રાખવામાં આવે છે. આ નિયમોમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી, ભલે કનેક્શનનો પ્રકાર કંઈપણ હોય. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને બિનજરૂરી ગભરાટમાં ગેસ બુકિંગ ન કરે કારણ કે દેશમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભારતીય રેલવેએ IRCTC અને કોન્ટ્રાક્ટ કંપનીને ફટકાર્યો 60 લાખનો દંડ, મુસાફરે કરી હતી ફરિયાદ
ADVERTISEMENT
તાજેતરમાં એવી અફવા પણ ફેલાઈ હતી કે 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરને ઘટાડીને 10 કિલોગ્રામ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે સિલિન્ડરના વજનમાં કોઈ ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પ્રકારની માહિતી માત્ર અટકળો પર આધારિત છે અને લોકોને ભ્રમિત કરે છે. સરકાર હાલમાં ગેસ પુરવઠો સરળ બનાવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.