બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:43 AM, 21 April 2026
Strait Of Hormuz : મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં બનેલી ગોળીબારની ઘટનાએ ભારત સહિત વૈશ્વિક સ્તરે ચિંતા ઊભી કરી છે. વાસ્તવમાં 18 એપ્રિલના રોજ બનેલી આ ઘટનામાં ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા બે ભારતીય ધ્વજવાળા જહાજો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ADVERTISEMENT
આ બનાવને ભારતે અત્યંત ગંભીરતાથી લીધો છે. સરકારે તાત્કાલિક રાજદ્વારી પગલાં લઈ ઈરાનના રાજદૂતને બોલાવીને કડક વિરોધ નોંધાવ્યો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને સ્પષ્ટ કર્યું કે, આ વિસ્તારમાંથી પસાર થતાં ભારતીય જહાજોની સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
શું કહ્યું વિદેશ મંત્રાલયે ?
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત સતત ઈરાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ગોળીબાર સ્થાનિક સ્તરે થયેલી સંચાર ખામીનું પરિણામ હોઈ શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે જહાજોને ગંભીર નુકસાન થયું નથી, જોકે કેટલાક ભાગોમાં કાચ તૂટી જવાના અહેવાલ મળ્યા છે.
#WATCH | Delhi: Ambassador of Iran to India, Dr. Mohammad Fathali returned to the Iranian Embassy after leaving from Ministry of External Affairs (MEA).
— ANI (@ANI) April 18, 2026
India lodged a protest with the Iranian Ambassador over the incident of firing on an Indian vessel at Strait of Hormuz. pic.twitter.com/oiPebadSHr
ADVERTISEMENT
આ ઘટનાની પુષ્ટિ યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સના રિપોર્ટમાં પણ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કુલ ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી બે ભારતીય હતા. એક ઘટનામાં ઈરાની ગનબોટ્સે કોઈ પૂર્વ ચેતવણી વગર જહાજની નજીક આવીને ગોળીબાર કર્યો હતો, જ્યારે બીજી ઘટનામાં ઓમાન નજીક એક સુપરટેન્કર પર હુમલાની માહિતી સામે આવી છે.

ADVERTISEMENT
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળએ તાત્કાલિક પગલાં લીધા છે. હાલ સાત યુદ્ધ જહાજો આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે એસ્કોર્ટ કરી રહ્યા છે. જહાજોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ લારાક ટાપુથી દૂર રહે અને જરૂરી પરવાનગી બાદ જ આગળ વધે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં હીટવેવનો કહેર! શાળાઓના સમયમાં ફેરફાર
ADVERTISEMENT
હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં લગભગ 14 ભારતીય જહાજો
નોંધનીય છે કે, હાલની સ્થિતિ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં લગભગ 14 ભારતીય જહાજો હજુ પણ ફસાયેલા છે. તેમાં મોટા તેલ ટેન્કર અને LPG કેરિયરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીથી જ આ વિસ્તારમાં તણાવ વધતા ભારતે અગાઉ પણ અનેક જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. તેથી અહીં સર્જાતી કોઈપણ અસુરક્ષા વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી શકે છે. ભારત હાલ રાજદ્વારી અને સૈન્ય બંને સ્તરે સક્રિય બનીને પોતાના નાગરિકો અને જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Padma Awards Ceremony / સિંગર અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રી, 65 હસ્તીઓને મળ્યો એવોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.