બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:34 AM, 15 August 2025
Independence Day 2025 : ગુજરાત સહિત દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણાં દેશને અંગેજોથી આઝાદી મળવામાં અનેક મહાનુભાવોનું ખૂબ મોટું યોગદાન છે. જોકે આઝાદીના ઇતિહાસની અનેક ચર્ચાઑ પણ છે. જેમાં એક વાત એ પણ છે કે, શું ભારત અંગેજોથી આઝાદ થયું તેની મહાત્મા ગાંધીને ખુશી નહોતી ? 15 ઓગસ્ટ 1947ના રોજ મહાત્મા ગાંધી ક્યાં હતા ? આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું આવા અનેક સવાલોના જવાબો.
ADVERTISEMENT
આપણે બધા દર વર્ષે 2 ઓક્ટોબરના દિવસે આપણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્મરણ કરીએ છીએ. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 1869માં ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. તેમણે સમગ્ર વિશ્વને અહિંસા, સત્ય અને શાંતિના માર્ગે ચાલવાનું એક અનોખું ઉદાહરણ આપ્યું. ગાંધીજી માત્ર એક રાજકીય નેતા નહીં પણ સમાજના નૈતિક પાયાને મજબૂત બનાવનારા મહાન વિચારક હતા. તેમણે બ્રિટિશ શાસન સામે લડવા માટે હિંસાની જગ્યાએ અહિંસા અને સત્યાગ્રહ જેવા માર્ગ અપનાવ્યા જેના પરિણામે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર બન્યું.

ADVERTISEMENT
આઝાદીની ઉજવણી વખતે ક્યાં હતા ગાંધીજી ?
હવે વાત કરીએ ઇતિહાસની તો શું તમને ખબર છે? જ્યારે આખું દેશ આઝાદીની ભવ્ય ઉજવણીમાં ડૂબેલું હતું ત્યારે ગાંધીજી એ ઉજવણીથી દૂર હતા. તેઓ ત્યાં નહોતા જ્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો, ન તો તે ઉજવણીમાં સામેલ થયા જ્યાં નેતાઓ નાચતા હતાં. ગાંધીજી એ દિવસે હતા કોલકાતા (તત્કાલીન નોઆખલી)માં,જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસા રોકવા માટે અનશન પર હતા.
ADVERTISEMENT

સાંપ્રદાયિક સમરસતા માટે અનોખો યજ્ઞ
ADVERTISEMENT
વિગતો મુજબ 14 ઓગસ્ટ 1947ના રાત્રે જયારે દેશભરમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે ગાંધીજી એક તૂટેલા મકાનના આંગણામાં પ્રાર્થનાસભા કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આઝાદી આનંદદાયી છે, પણ એ સાથે જવાબદારી પણ છે. અડધી રાતે ભારતના બે ટુકડા થશે. એટલે આવતી કાલનો દિવસ એક તરફ ખુશીનો હશે તો બીજી તરફ દુઃખનો પણ. તેમના આ શબ્દો પાછળ રહેલું તત્વજ્ઞાન આજે પણ આપણા માટે માર્ગદર્શક છે. તેઓ માનતા હતા કે, જો કોલકાતામાં શાંતિ સ્થાપી શકાય, તો આખા ભારતમાં ભાઈચારાની ભાવના જગાવી શકાય છે.
ગાંધીજી એ દિવસ ઉપવાસ પર રહ્યા. તેમનું દિલ એ હિંસાથી ભડકેલા સમાજમાં શાંતિ લાવવાના પ્રયાસોમાં લાગેલું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાને એક જવાબદારી તરીકે જોવી, જયાં દરેક નાગરિકએ પોતાનું કર્તવ્ય નિભાવું જોઈએ-ભાઈચારો, સહિષ્ણુતા અને માનવતાને વરવા જોઈએ. જ્યારે આપણે ગાંધી જયંતી અને સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ એ માત્ર એક અવકાશ પૂરતું નથી પણ એક ચેતના છે-જે આપણને સતત યાદ અપાવે છે કે, સાચી આઝાદી ત્યારે જ આવે છે, જ્યારે સમાજમાં શાંતિ, સમરસતા અને નૈતિકતા હોય.
ADVERTISEMENT
આ પણ વાંચો : અહીં 15 ઓગસ્ટ નહીં, 19 ડિસેમ્બરે મનાવાય છે આઝાદીનો જશ્ન, એવું કેમ, જાણો
નેહરૂને પણ નહોતા સાંભળ્યા ગાંધીજીએ!
ADVERTISEMENT
અહી એક વાત એ પણ નોંધનીય છે કે, 14 ઓગસ્ટની મધ્યરાત્રીએ જવાહરલાલ નેહરુએ તેમનું ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ આપ્યું હતું. આ ભાષણને મહાત્મા ગાંધી સિવાય લગભગ સમગ્ર દુનિયાએ સાંભળ્યું હતું, કેમ કે એ રાત્રે ગાંધીજી વહેલા ઊંઘી ગયા હતા.
આ પણ વાંચો : આ સ્ટાઇલમાં લખો 'હર ઘર તિરંગા' અભિયાન પર શાનદાર નિબંધ, તો બની જશો ક્લાસના નંબર 1 હીરો
હવે જાણીએ આઝાદીપર્વને લગતી આવી જ કેટલીક રસપ્રદ હકીકતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.