બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:21 PM, 24 March 2026
PM Modi on Rajya Sabha : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઊર્જા અને વેપાર પર ગંભીર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ પર ભારત સરકારે ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અને દેશના હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા કરતાં જણાવ્યું કે, આ સંકટની અસર માત્ર ટૂંકા ગાળાની નથી, પરંતુ લાંબા ગાળે પણ વિશ્વ અર્થતંત્રને અસર કરશે.
ADVERTISEMENT
ભારત માટે સૌથી મોટી ચિંતા ગલ્ફ દેશોમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા છે. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા જહાજો અને તેમાં કામ કરતા ભારતીય ક્રૂ સભ્યોની સલામતી પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. ભારત સતત વિવિધ દેશો સાથે સંપર્કમાં રહીને તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.
#WATCH पीएम नरेंद्र मोदी ने कहा, "भारत की कोशिश रही है कि तेल, गैस, फर्टिलाइज़र या कोई और ज़रूरी चीज़ ले जाने वाले जहाज़ भारत सुरक्षित पहुँचें। लेकिन अगर युद्ध की वजह से दुनिया भर में बने हालात लंबे समय तक बने रहते हैं, तो इसका गंभीर असर होना तय है। इसलिए भारत पिछले कुछ सालों में… pic.twitter.com/HqVnI1121p
— ANI_HindiNews (@AHindinews) March 24, 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ઇંધણની અછત નહીં સર્જાય. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવી છે અને હવે અનેક દેશોથી તેલ અને ગેસની સપ્લાય મેળવી રહ્યો છે. આ પગલાંઓ ભારતને વૈશ્વિક સંકટ દરમિયાન વધુ મજબૂત બનાવે છે.
#WATCH वेस्ट एशिया विवाद | राज्यसभा में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते और काम करते हैं। उनकी जान और रोजी-रोटी की सुरक्षा भारत के लिए बहुत बड़ी चिंता की बात है। होर्मुज स्ट्रेट में कई जहाज फंसे हुए हैं। बड़ी संख्या में भारतीय क्रू मेंबर… pic.twitter.com/UERaEfiepq
— ANI_HindiNews (@AHindinews) March 24, 2026
ADVERTISEMENT
આત્મનિર્ભર ભારત
આ સંજોગોમાં “આત્મનિર્ભર ભારત”નો વિચાર વધુ મહત્વનો બની ગયો છે. હાલમાં ભારતનો મોટો ભાગનો વેપાર વિદેશી જહાજો પર આધારિત છે, જેને કારણે સંકટ સમયે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી, સ્વદેશી જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે યોજના શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH पीएम नरेंद्र मोदी ने कहा, "मौजूदा संकट ने पूरी ग्लोबल इकॉनमी को हिलाकर रख दिया है। वेस्ट एशिया में हुए नुकसान से उबरने में दुनिया को बहुत समय लगेगा। भारत पर इसका कम से कम असर हो, इसके लिए लगातार कोशिशें की जा रही हैं। हमारी अर्थव्यवस्था की बुनियाद मज़बूत है। सरकार बार-बार… pic.twitter.com/3q6z2CySVs
— ANI_HindiNews (@AHindinews) March 24, 2026
PM મોદીએ રાજ્ય સરકારને આપ્યા 2 મોટા ટાસ્ક
ADVERTISEMENT
આ તરફ PM મોદીએ રાજ્ય સરકારોને ખાસ ટાસ્ક આપ્યા છે.પ્ર ધાનમંત્રીએ રાજ્ય સરકારોને વર્તમાન પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહેલા કાળા બજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક વલણ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્ય સરકારોને બે મુખ્ય ટાસ્ક સોંપ્યા: પ્રથમ આવશ્યક ચીજવસ્તુઓનું સતત નિરીક્ષણ કરવું અને બીજું જ્યાં પણ સંગ્રહખોરીની જાણ થાય ત્યાં તાત્કાલિક પગલાં લેવા.
पश्चिम एशिया संकट को लेकर प्रधानमंत्री श्री @narendramodi का देश की सभी राज्यों की सरकारों से आग्रह...
— BJP (@BJP4India) March 24, 2026
पूरा वीडियो देखें : https://t.co/Ub0ZkvPXCI pic.twitter.com/GTw4EqdhO2
ADVERTISEMENT

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવી શકાય અને દેશની અર્થવ્યવસ્થા સ્થિર રહે. આ માટે એક આંતર-મંત્રીય જૂથ પણ બનાવવામાં આવ્યું છે, જે હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સંકટ ભલે ગંભીર હોય, પરંતુ ભારત પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને યોગ્ય આયોજનના આધારે તેનો સામનો કરવા તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.