બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ‘સંચાર સાથી પર કોઈ દબાણ નથી, જો તમે ઇચ્છો તો...’, જાસૂસી વિવાદ પર સરકારે કરી દીધી સ્પષ્ટતા
Last Updated: 04:22 PM, 2 December 2025
ભારતમાં સાયબર સુરક્ષા અને નાગરિકોની પ્રાઈવસીના મુદ્દે રાજકીય તણાવ સર્જાયો છે, ખાસ કરીને DoT (Department of Telecommunications) દ્વારા મોબાઈલમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાની સૂચના આપ્યા બાદ. આ સૂચના સામે વિરોધ પક્ષે ગંભીર આક્ષેપો કર્યા અને સરકાર પર જાસૂસી કરવાનો આરોપ મુકાયો. બીજી બાજુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ એપ ફરજીયાત નહીં, પરંતુ વૈકલ્પિક રહેશે.
ADVERTISEMENT
देश के हर नागरिक की डिजिटल सुरक्षा हमारी सर्वोच्च प्राथमिकता है। ‘संचार साथी’ ऐप का उद्देश्य है कि प्रत्येक व्यक्ति अपनी निजता की रक्षा कर सके और ऑनलाइन ठगी से सुरक्षित रह सके।
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 2, 2025
यह एक पूरी तरह स्वैच्छिक और लोकतांत्रिक व्यवस्था है-यूज़र चाहें तो ऐप को सक्रिय कर इसके लाभ ले सकते…
DoTએ તમામ મોબાઈલ કંપનીઓને 90 દિવસની અંદર ‘સંચાર સાથી’ એપ પ્રી-ઈન્સ્ટોલ કરવાની સૂચના આપી હતી. આ પગલા સાથે જ દેશના રાજકીય વર્તુળોમાં હગામો મચી ગયો. વિરોધ પક્ષે તેને નાગરિકોની દેખરેખ રાખવાની શકયતા સાથે જોડ્યો અને તેને સ્પાયિંગ એપ ગણાવી. પરંતુ સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ માત્ર સાયબર સુરક્ષા અને ફ્રોડથી બચાવ કરવાનો છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | "... If you don't want Sanchar Sathi, you can delete it. It is optional... It is our duty to introduce this app to everyone. Keeping it in their devices or not, is upto the user...," says Union Minister for Communications Jyotiraditya Scindia. pic.twitter.com/iXzxzfrQxt
— ANI (@ANI) December 2, 2025
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે આ એપ સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે. જો કોઈ નથી ઇચ્છતો, તો તેને રજિસ્ટર ન કરો, જો ડિલીટ કરવી હોય તો ડિલીટ કરો. આને ફરજીયાત બનાવવાનું કોઈ આયોજન નથી. તેમણે વધુમાં જણાવ્યું કે દેશના ઘણા લોકો ડિજિટલ સાયબર ફ્રોડથી બચવા માટેના સાધનો વિષે માહિતગાર નથી. આ એપ લોકોને ઠગાઈ અને સિમ સ્વેપિંગ જેવી ડિજિટલ છેતરપિંડીથી સુરક્ષિત રહેવા માટે મદદરૂપ થઈ શકે છે. તેથી જાગૃતિ ફેલાવવી આવશ્યક છે.
ADVERTISEMENT
સિંધિયાએ ઉદાહરણ આપ્યું કે જ્યારે આપણે ફોનની ખરીદી કરીએ છીએ ત્યારે તેમાં Google Maps જેવી એપ્સ પણ હોય છે. જો તેનો ઉપયોગ ન કરવો હોય તો તેને ડિલીટ કરી શકાય છે. એ જ રીતે ‘સંચાર સાથી’ને રાખવી કે ન રાખવી તે સંપૂર્ણપણે ગ્રાહકની પસંદગી પર આધારિત છે.
રાજકીય ક્ષેત્રે વિરોધ પક્ષે પણ પ્રખર પ્રતિસાદ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ આ એપને સ્નૂપિંગ એપ કહી અને પ્રાઈવસી ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો. તેમણે સરકાર ઉપર તાનાશાહીનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના અન્ય નેતા કાર્તિ ચિદંબરમે તો કહ્યું કે સરકાર રશિયા અને નોર્થ કોરિયા જેવી રીતો અપનાવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: શું વાત છે! ભારતીય સેના સાથે ઇન્ટર્નશિપ કરવા મળશે, એ પણ 75 દિવસ
આ સમગ્ર મુદ્દે હવે બે મતો બની ચૂક્યા છે. એક બાજુ સરકારનું કહેવું છે કે આ એપ માત્ર ગ્રાહક સુરક્ષા અને સાયબર જાગૃતિ માટે છે, જ્યારે વિરોધ પક્ષ તેને પ્રાઈવસીમાં સરકારની દખલ તરીકે જુએ છે. હવે જોવું રહ્યું કે આ એપને લઈને લોકોની વાસ્તવિક પ્રતિસાદ શું રહે છે અને તેઓ તેને સ્વૈચ્છિક રીતે અપનાવે છે કે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.