બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ‘સંચાર સાથી પર કોઈ દબાણ નથી, જો તમે ઇચ્છો તો...’, જાસૂસી વિવાદ પર સરકારે કરી દીધી સ્પષ્ટતા

નેશનલ / ‘સંચાર સાથી પર કોઈ દબાણ નથી, જો તમે ઇચ્છો તો...’, જાસૂસી વિવાદ પર સરકારે કરી દીધી સ્પષ્ટતા

Pravin Joshi

Last Updated: 04:22 PM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘સંચાર સાથી’ એપને લઈને વિવાદ સર્જાયો છે. સરકારનું કહેવું છે કે એપ ફરજીયાત નથી, જ્યારે વિરોધ પક્ષે પ્રાઈવસીના ભંગની વાત કરી છે. મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કર્યું છે કે એપ વૈકલ્પિક છે અને જો ન ગમે તો તેને ડિલીટ કરી શકાય છે.

ભારતમાં સાયબર સુરક્ષા અને નાગરિકોની પ્રાઈવસીના મુદ્દે રાજકીય તણાવ સર્જાયો છે, ખાસ કરીને DoT (Department of Telecommunications) દ્વારા મોબાઈલમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાની સૂચના આપ્યા બાદ. આ સૂચના સામે વિરોધ પક્ષે ગંભીર આક્ષેપો કર્યા અને સરકાર પર જાસૂસી કરવાનો આરોપ મુકાયો. બીજી બાજુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ એપ ફરજીયાત નહીં, પરંતુ વૈકલ્પિક રહેશે.

DoTએ તમામ મોબાઈલ કંપનીઓને 90 દિવસની અંદર ‘સંચાર સાથી’ એપ પ્રી-ઈન્સ્ટોલ કરવાની સૂચના આપી હતી. આ પગલા સાથે જ દેશના રાજકીય વર્તુળોમાં હગામો મચી ગયો. વિરોધ પક્ષે તેને નાગરિકોની દેખરેખ રાખવાની શકયતા સાથે જોડ્યો અને તેને સ્પાયિંગ એપ ગણાવી. પરંતુ સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ માત્ર સાયબર સુરક્ષા અને ફ્રોડથી બચાવ કરવાનો છે.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે આ એપ સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે. જો કોઈ નથી ઇચ્છતો, તો તેને રજિસ્ટર ન કરો, જો ડિલીટ કરવી હોય તો ડિલીટ કરો. આને ફરજીયાત બનાવવાનું કોઈ આયોજન નથી. તેમણે વધુમાં જણાવ્યું કે દેશના ઘણા લોકો ડિજિટલ સાયબર ફ્રોડથી બચવા માટેના સાધનો વિષે માહિતગાર નથી. આ એપ લોકોને ઠગાઈ અને સિમ સ્વેપિંગ જેવી ડિજિટલ છેતરપિંડીથી સુરક્ષિત રહેવા માટે મદદરૂપ થઈ શકે છે. તેથી જાગૃતિ ફેલાવવી આવશ્યક છે.

સિંધિયાએ ઉદાહરણ આપ્યું કે જ્યારે આપણે ફોનની ખરીદી કરીએ છીએ ત્યારે તેમાં Google Maps જેવી એપ્સ પણ હોય છે. જો તેનો ઉપયોગ ન કરવો હોય તો તેને ડિલીટ કરી શકાય છે. એ જ રીતે ‘સંચાર સાથી’ને રાખવી કે ન રાખવી તે સંપૂર્ણપણે ગ્રાહકની પસંદગી પર આધારિત છે.

રાજકીય ક્ષેત્રે વિરોધ પક્ષે પણ પ્રખર પ્રતિસાદ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ આ એપને સ્નૂપિંગ એપ કહી અને પ્રાઈવસી ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો. તેમણે સરકાર ઉપર તાનાશાહીનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના અન્ય નેતા કાર્તિ ચિદંબરમે તો કહ્યું કે સરકાર રશિયા અને નોર્થ કોરિયા જેવી રીતો અપનાવી રહી છે.

આ પણ વાંચો: શું વાત છે! ભારતીય સેના સાથે ઇન્ટર્નશિપ કરવા મળશે, એ પણ 75 દિવસ

આ સમગ્ર મુદ્દે હવે બે મતો બની ચૂક્યા છે. એક બાજુ સરકારનું કહેવું છે કે આ એપ માત્ર ગ્રાહક સુરક્ષા અને સાયબર જાગૃતિ માટે છે, જ્યારે વિરોધ પક્ષ તેને પ્રાઈવસીમાં સરકારની દખલ તરીકે જુએ છે. હવે જોવું રહ્યું કે આ એપને લઈને લોકોની વાસ્તવિક પ્રતિસાદ શું રહે છે અને તેઓ તેને સ્વૈચ્છિક રીતે અપનાવે છે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TechNews CyberSecurity SanchaarSaathi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ