બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:22 PM, 14 April 2026
PM Modi Video : ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સંસદ સંકુલના પ્રેરણા સ્થળે આયોજિત કાર્યક્રમ દરમિયાન આજે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. વાસ્તવમાં નરેન્દ્ર મોદી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સંસદમાં જોવા મળેલી એક હળવી અને સૌહાર્દપૂર્ણ ક્ષણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી અને ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે વચ્ચે ટૂંકી વાતચીત થઈ, જેમાં બંનેએ એકબીજાને અભિવાદન આપ્યું અને પછી હસતા જોવા મળ્યા.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં ઓમ બિરલા, કિરેન રિજિજુ અને સીપી રાધાકૃષ્ણન સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરેકે પોતાના રીતે આંબેડકરના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદીને રાહુલ ગાંધી સાથે સંસદમાં હળવી ચર્ચા કરતા જોવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રાજકીય મતભેદ હોવા છતાં વ્યક્તિગત સ્તરે સૌજન્ય જળવાયેલું રહે છે.
પહેલા ખડગેને હાથ મિલાવ્યો, અને પછી એવી શું વાત થઇ કે બંને ખડખડાટ હસી પડ્યાં#MallikarjunKharge #IndianPolitics #PoliticalMoment #BreakingNews #IndiaNews #Congress #ViralMoment #Trending #LightMoment #Reels #Shorts #VTVDigital pic.twitter.com/5sGPMqK8Fq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંદેશમાં આંબેડકરના યોગદાનને યાદ કરતા કહ્યું કે, તેમના વિચારો અને કાર્ય આજે પણ દેશને પ્રેરણા આપે છે. તેમણે દેશ નિર્માણમાં આંબેડકરના અવિસ્મરણીય યોગદાનને વખાણ્યું.

ADVERTISEMENT
આ પણ વાંચો : કોરોના કાળની જેમ બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન
બીજી તરફ ખડગેએ આંબેડકરને દ્રષ્ટાવાન નેતા ગણાવ્યા અને જણાવ્યું કે, તેમણે ભારતને બંધારણીય મૂલ્યો આપ્યા છે. તેમણે લોકોને આ મૂલ્યોનું સંરક્ષણ કરવાની અપીલ પણ કરી. સાથે જ રાહુલ ગાંધીએ પણ આંબેડકરના આદર્શોને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT