બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 PM, 20 April 2026
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચુકાદો આપતી વખતે જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના પરિવાર વિશે કરેલી ટિપ્પણીઓ બદલ ઠપકો આપ્યો. તેમણે કહ્યું, "જો એક નેતાની પત્ની રાજકારણી બની શકે છે, જો એક નેતાના બાળકો રાજકારણી બની શકે છે, તો પછી એવું કેવી રીતે કહી શકાય કે ન્યાયાધીશના બાળકો કાયદાકીય વ્યવસાયમાં ના આવી શકે?" કેજરીવાલ સામે આટલી કડક ટિપ્પણી કરતા જસ્ટિસ શર્માએ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને વ્યક્તિગત બાબતોને કોર્ટની કાર્યવાહીથી દૂર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ADVERTISEMENT
કેજરીવાલે જસ્ટિસ શર્માના બાળકો વિશે શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક દિવસોથી સતત સુનાવણીમાં રહેલા આ કેસમાંથી ન્યાયાધીશ શર્માને અલગ રાખવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલે "હિતોના સીધા સંઘર્ષ" અને "જસ્ટિસના મિસકેરેજ" હોવા જેવા ગંભીર આરોપો લગાતા દાવો કરવામાં આવ્યો કે ન્યાયમૂર્તિ શર્માના બાળકો કેન્દ્ર સરકારની પેનલમાં વકીલ છે. તેમને સોલિસિટર જનરલ દ્વારા કામ મળે છે, અને આ કેસમાં સોલિસિટર જનરલ સીબીઆઈ વતી હાજર થઈ રહ્યા છે.
ADVERTISEMENT
જો કોઈ રાજકારણીનો પુત્ર રાજકારણી બની શકે છે...
આ ચિંતાઓનો જવાબ આપતા કોર્ટે જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યો અને આ કેસ વચ્ચે કોઈ સંબંધ નથી. કોર્ટે નોંધ્યું હતું કે તેમના કોઈ સંબંધી કોર્ટમાં હાજર થયા નથી અથવા દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત બાબતોમાં સામેલ થયા નથી. પોતાની વાત રજૂ કરતા જસ્ટિસ શર્માએ કહ્યું, "જો કોઈ રાજકારણીની પત્ની રાજકારણી બની શકે છે, જો કોઈ રાજકારણીના બાળકો રાજકારણી બની શકે છે, તો પછી એવું કેવી રીતે કહી શકાય કે જજના બાળકો કાનૂની વ્યવસાયમાં પ્રવેશી શકતા નથી? આનો અર્થ ન્યાયાધીશના પરિવારના મૂળભૂત અધિકારો છીનવી લેવાનો થશે."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રિલાયન્સ કોમ્યુનિકેશન લોન ફ્રોડ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બે સીનિયર અધિકારીની ધરપકડ
ADVERTISEMENT
કેસ લડનાર આ પ્રશ્ન કરી શકતો નથી...
જસ્ટિસ શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઇ લિટિગેંટ એટલે કે કેસ લડનાર વ્યક્તિ આ સવાલ નથી કરી શકતો કે જજના પરિવાર કેવી રીતે જીવવા માંગે છે. આરોપો અંગે કોર્ટે જણાવ્યું હતું કે આવા દાવાઓ સાથે સ્પષ્ટ પુરાવા હોવા જોઈએ. "જ્યાં સુધી એવા પુરાવા ન હોય કે ન્યાયાધીશના બાળકોએ કોર્ટના કાર્યાલયનો દુરુપયોગ કર્યો છે, ત્યાં સુધી આવા આરોપ અંગે કંઇ કહી શકાય નહીં."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Padma Awards Ceremony / સિંગર અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રી, 65 હસ્તીઓને મળ્યો એવોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.