બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 AM, 29 September 2025
ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દાયકામાં ભારે વધારો નોંધાયો છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ મુજબ, વર્ષ 1990 થી 2023 વચ્ચે ભારતમાં કેન્સરના કેસોમાં ૨૬ ટકા વધારો થયો છે. 1990માં, પ્રતિ 100,000 લોકો દીઠ સરેરાશ 84 કેન્સરના કેસ નોંધાતા હતા, જ્યારે 2023માં આ આંકડો વધીને 107 સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT

આ અભ્યાસે વધુ એક ચોંકાવનારું તારણ આપ્યું છે – ચિકિત્સા સુવિધાઓમાં સુધારો છતાં કેન્સરથી થતા મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી બાજુ, અમેરિકા અને ચીનમાં આ જ સમયગાળામાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. ચીનમાં કેન્સરના કેસોમાં 19 ટકા અને અમેરિકામાં 20 ટકાનો ઘટાડો થયો છે. કેન્સરથી થતા મૃત્યુમાં તો વધુ મોટો ઘટાડો નોંધાયો – ચીનમાં 43 ટકા અને અમેરિકામાં ૩૩ ટકા. આ સફળતાનું મુખ્ય કારણ છે – તમાકુ ઉત્પાદનો પર કડક નિયંત્રણ, રસીકરણ, અને નિયમિત સ્ક્રીનીંગ.

ADVERTISEMENT
નિષ્ણાતોના મતે, ભારતમાં કેસોમાં વધારો થવાનો મુખ્ય કારણ છે – તમાકુનું સેવન, સ્થૂળતા, ચેપ અને કેન્સર વહેલા તબક્કે શોધી ન શકાય તે. તેમણે કહ્યું કે HPV અને હેપેટાઇટિસ-B રસીકરણ, મેમોગ્રાફી, ફેફસાના કેન્સર સ્ક્રીનીંગ અને કોલોનોસ્કોપી દ્વારા કેન્સરનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.
આ પણ વાંચો : VIDEO : ટેબલ પર હાથ પછાડ્યા, પાક. સામેની મેચમાં ગૌતમનો ગંભીર નહીં પણ જબરદસ્ત જુસ્સો
ADVERTISEMENT
અભ્યાસના મુખ્ય લેખક, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ડૉ. લિસા ફોર્સે જણાવ્યું કે, કેન્સર વૈશ્વિક સ્વાસ્થ્ય પર ભારે બોજ છે અને તેને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કાર્ય યોજના તથા આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી છે. ભારતમાં સંસદીય સમિતિએ પણ સૂચન કર્યું છે કે તમાકુ ઉત્પાદનો પર વધુ કર લગાવવો જોઈએ અને કેન્સર સ્ક્રીનીંગને જનઆંદોલન બનાવવું જોઈએ. નહીં તો આગામી વર્ષોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.