બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બેન્કના બાથરુમમાં બિઝનેસમેને પોતાની જાતને મારી ગોળી, મચી સનસનાટી, કંપી જવાય તેવો કાંડ

પંજાબ / બેન્કના બાથરુમમાં બિઝનેસમેને પોતાની જાતને મારી ગોળી, મચી સનસનાટી, કંપી જવાય તેવો કાંડ

Hiralal Parmar

Last Updated: 11:03 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિઝનેસમેને બેન્કના બાથરુમમાં પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરતાં સનસનાટી મચી હતી.

પંજાબના મોહાલીના સેક્ટર-68માં HDFC બેંક શાખામાં આવેલા એક ઇમિગ્રેશન કંપનીના માલિકે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ રાજદીપ તરીકે થઈ છે. તેણે 45 બોરની પિસ્તોલથી આત્મહત્યા કરી હતી. તે મૂળ મોગાનો રહેવાસી હતો. રાજદીપે બેંકના બાથરૂમમાં આત્મહત્યા કરી હતી. તેણે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પોલીસે બેંકની અંદર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે. રાજદીપ એક ઇમિગ્રેશન કંપનીનો માલિક હતો અને સેક્ટર-80માં ભાડાના મકાનમાં રહેતો હતો. તેની સેક્ટર-82માં ઓવરલેન્ડ નામની ઇમિગ્રેશન કંપની છે.

સુસાઇડ નોટમાં શું લખ્યું?

બપોરે લગભગ 2:30 વાગ્યે પોલીસને માહિતી મળી કે રાજદીપ નામના વ્યક્તિએ HDFC બેંકના બાથરૂમમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. રાજદીપના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવ્યો છે જેમાં તેણે પંજાબ પોલીસના AIG ગુરજોત સિંહ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. રાજીવે વીડિયોમાં કહ્યું છે કે AIG તેમને અને તેમના પરિવારને ધમકી આપી રહ્યા છે અને તેઓ સતત હેરાન કરી રહ્યા છે. એટલા માટે તે આત્મહત્યા કરી રહ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. ગુરજોત સિંહ કાલેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો : લો આવી ગઈ નવરાત્રી પર વરસાદની આગાહી! જાણો ગરબે રમવા દેશે કે નહીં? સપ્ટેમ્બરમાં કેવી રહેશે સ્થિતિ

બધા લોકોએ મને લૂંટી લીધો-રાજદીપ સુસાઈટ નોટમાં લખ્યું

પંજાબીમાં લખેલી સુસાઇડ નોટમાં રાજદીપે પહેલા તેના પિતા, પત્ની અને પુત્રની માફી માંગી. રાજદીપે લખ્યું, "પપ્પા, કૃપા કરીને મને માફ કરો. છબી, તમે પણ મને માફ કરો. મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. 4 લોકોએ મારા બધા પૈસા લૂંટી લીધા છે અને મને ધમકી આપી રહ્યા છે. મારી સાથે કામ કરતા સમીર, રિંકુ અને સાઇનાએ મને છેતર્યો છે. રિંકુ અને સાઇનાએ 40 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. મારે સમીર અગ્રવાલ પાસેથી 2.46 કરોડ રૂપિયા લેવાના છે, અને આ 3.5કરોડ રૂપિયા ગુરડિયાલ કાકાના છે. હું ચાર મહિનાથી પૈસા માંગી રહ્યો છું પણ તેઓ પાછા નથી આપી રહ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

punjab national news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ