બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:04 AM, 3 December 2025
ભારતમાં અનેક હવાઈમથકોએ બુધવારે અચાનક ટેક્નિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે હજારો મુસાફરોને ચેક-ઇન વખતે ભારે મુશ્કેલી પડી. કાઉન્ટરો આગળ લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકો પોતાની ફ્લાઇટ પકડવા પૂરતા સમયથી પણ વધુ વહેલા પહોંચવા મજબુર થયા. સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા નારાજગી પણ વ્યક્ત થઈ હતી.
ADVERTISEMENT
પરંતુ આ વિક્ષેપના થોડા જ કલાકોમાં એર ઈન્ડિયાએ સત્તાવાર અપડેટ આપીને કહ્યું કે થર્ડપાર્ટી સિસ્ટમમાં આવેલી ખામી હવે સંપૂર્ણપણે ઠીક કરી દેવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર હવે દેશના તમામ એરપોર્ટ્સ પર ચેક-ઇન પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ થઈ ચૂકી છે અને કોઈ વિલંબ થઈ રહ્યો નથી.
#Update
— Air India (@airindia) December 2, 2025
The third-party system has been fully restored, and check-in at all airports is functioning normally. All our flights are operating as per schedule.
We thank our passengers for their understanding.
ADVERTISEMENT
એર ઈન્ડિયાએ પ્લેટફોર્મ X પર જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું કે થર્ડ-પાર્ટી સિસ્ટમ ફરી પુનઃસ્થાપિત થઈ ગઈ છે, અને હવે બધી ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સમયમાં જ ચલાવવામાં આવી રહી છે. એરલાઈન એ મુસાફરોનો સહકાર અને સહનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આ ટેક્નિકલ સમસ્યાની મુખ્ય કારણ અંગે એર ઈન્ડિયાની પ્રારંભિક સ્પષ્ટતા એવી રહી હતી કે થર્ડ-પાર્ટી ઇન્ટિગ્રેટેડ ચેક-ઇન સિસ્ટમમાં અચાનક ખામી સર્જાઈ હતી. આને કારણે ચેક-ઇન પ્રોસેસ ધીમી પડી ગઈ. શરૂઆતમાં જણાવાયું હતું કે સિસ્ટમ પુનઃસ્થાપિત થવામાં થોડો સમય લાગશે, પરંતુ તે અપેક્ષા કરતાં ઝડપી ગતિથી સુધરી ગઈ. એર ઈન્ડિયાએ મુસાફરોને એ પણ વિનંતી કરી હતી કે તેઓ એરપોર્ટ માટે નીકળે તે પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ સત્તાવાર વેબસાઈટ પર ચેક કરીને જ નીકળે. કંપનીએ સલાહ આપી હતી કે મુસાફરો થોડી વધુ માર્જિન સમય સાથે એરપોર્ટ પહોંચે જેથી સંભવિત અસુવિધાથી બચી શકાય.
ADVERTISEMENT
આ પહેલાં પણ નવેમ્બર મહિનામાં દિલ્હી સહિત દેશના અનેક હવાઈમથકોએ મોટા પ્રમાણમાં ઓપરેશનલ અસરનો સામનો કર્યો હતો, જ્યારે લગભગ 800 જેટલી ફ્લાઇટ્સ GPS-Spoofing સમસ્યાને કારણે અસરગ્રસ્ત થઈ હતી. કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર્યું હતું કે આ GPS-Spoofing દરમિયાન હવાઈમથકો તરફ આવતા અને ત્યાંથી ઉડાન ભરતા વિમાનો ખોટા નૅવિગેશન સિગ્નલનો ભોગ બન્યા હતા.
ADVERTISEMENT
હાલની પરિસ્થિતિમાં બીજી બાજુ સકારાત્મક રાહત એ છે કે આજે એર ઈન્ડિયાની તરફથી મળેલા અપડેટ બાદ મુસાફરોના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાયો છે. ચેક-ઇનની પ્રક્રિયા સામાન્ય થતાં, કલાકો સુધી ઊભા રહેવાની અને સમયને લઈને થતી ચિંતા હવે દૂર થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.