બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / naresh patel should not join politics or congress says khodaldham survey

ખોડલધામનો સર્વે / નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી લેવી જોઈએ કે નહીં? સર્વેમાં જુઓ શું આવ્યું પરિણામ

Mayur

Last Updated: 09:23 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી અગાઉ ભારે ગરમાવો છે. હાર્દિક પટેલની નારાજગી વચ્ચે નરેશ પટેલ મે મહિનામાં કોંગ્રેસમાં જોડાવાની શક્યતા વચ્ચે ખોડલધામનો સર્વે બહાર આવ્યો છે.

  • નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ખોડલધામનો સર્વે 
  • મે મહિનામાં કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો 
  • સર્વેમાં શું આવ્યું પરિણામ?

હાર્દિકની નારાજગી વચ્ચે રાજકારણમાં ગરમાવો 

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. એક તરફ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા છે તો બીજી તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. હાલ નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને ગુજરાતના રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. 

નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશ અંગે સર્વે 
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયા કરશે કે નહીં તેની અનેક ચર્ચાઓ સંકેત વિશે ચર્ચા થઈ રહી છે. 

એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજનીતિમાં પ્રવેશવું જોઈએ કે નહીં? તે વિશે ચર્ચા ચાલી રહી છે. 

જો તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો કંઈ પાર્ટીમાં જોડાશે જેવા અનેક ચર્ચાઓ થઈ રહી છે. અટકળો અનુસાર ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ મે માસના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસમાં ભળી શકે છે, પરંતુ આ અંગે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું ન જોઇએ તેવું સર્વેમાં સામે આવ્યું છે. 

ટ્રસ્ટી રમેશ ટીલાળાની મહત્વપૂર્ણ જાહેરાત 

આજે રાજકોટ ખોડલધામની કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે મળનારી ખોડલધામની કારોબારી બેઠક ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક રદ્દ કરાઈ છે. 

રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ

નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ એવું રમેશ ટીલાળાએ જણાવ્યું છે. તેમણે સર્વેનો હવાલો આપીને નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો તેવો પ્રતિભાવ આપતા રાજનીતિ ગરમાઈ હતી. હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને એટલે કે કથિત સર્વે સ્વીકારે છે કે નહી.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નવી રણનીતિ બનાવીને ભાજપને હંફાવી શકે છે.  

એક તરફ તેમની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચીને ગુજરાતમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેમણે ઉતારી શકે છે

આજે મહત્વની બેઠક મળવાની હતી 
ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામનાં ટ્રસ્ટીઓની એક મહત્વની બેઠક મળવાની હતી. 

આ બેઠકમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગેની ચર્ચા થવાની સંભાવના હતી. જેમાં નરેશભાઇ પટેલની સાથે આજે ટ્રસ્ટીઓમાં રમેશ ટીલાળા, હર્ષદ માલાણી, જીતુભાઇ વસોયા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આજની કારોબારીમાં જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર સભ્ય હાજર ન રહેતા બેઠક રદ કરવામાં આવી હતી.

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ સર્વે પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય નરેશ પટેલ લેશે. આગામી 27 તારીખે ખોડલધામ ખાતે બેઠક મળશે. મહાસભાના આયોજન મુદ્દે બેઠકમાં ચર્ચા થશે 

સંકળાયેલા મુદ્દાઓ

Naresh Patel khodaldham politics entry survey ખોડલધામ સર્વે khodaldham survey naresh patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ