બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:18 PM, 20 May 2026
ભોપાલમાં ચકચાર જગાવનાર ટ્વિશા શર્માના મોતના કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. ટ્વિશાના મોતને લઈને લાગી રહેલા તમામ અટકળો પર વિરામ મુકતા ભોપાલના પોલીસ કમિશનર સંજય કુમારે બુધવારે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યાનો મામલો છે. પીએમ રિપોર્ટમાં ટ્વિશાના મોતનું મુખ્ય કારણ ફાંસી લાગવું હોવાનું સામે આવ્યું છે. જોકે, હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે એવી કઈ પરિસ્થિતિઓ સર્જાઈ હતી જેના કારણે ટ્વિશાને આટલું આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વિવાદની શરૂઆત 12 મે 2026ના રોજ થઈ હતી, જ્યારે મૂળ નોઈડાની વતની ટ્વિશા શર્મા ભોપાલમાં આવેલા તેના સાસરી ઘરની છત પર ફાંસીના ફંદે લટકતી મળી આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્વિશાના પરિવારે સાસરી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, લગ્ન બાદથી જ ટ્વિશાને દહેજ માટે હેરાન કરવામાં આવતી હતી અને સાસરીયાઓ તેને અવારનવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા.
ઉલ્લેખનીય છે કે, ટ્વિશા શર્મા અને સમર્થ સિંહની મુલાકાત વર્ષ 2024માં એક ડેટિંગ એપના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા અને ડિસેમ્બર 2025માં તેઓએ લગ્ન કરી લીધા હતા. સમર્થ સિંહ નિવૃત્ત જજ ગિરિબાલા સિંહના પુત્ર છે. ટ્વિશાના કરૂણ મોત બાદથી જ આરોપી પતિ સમર્થ સિંહ સતત ફરાર છે, જેને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સતત દરોડા પાડી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જજનો પરિવાર હોવાના કારણે ટ્વિશાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી પક્ષ પોતાના કાનૂની અને સામાજિક વગનો ઉપયોગ કરીને બચવાનો પ્રયાસ કરી રહ્યો છે અને પોલીસ દબાણમાં કામ કરી રહી છે. જોકે, આ બાબતે પોલીસ કમિશનરે કડક વલણ અપનાવતા કહ્યું કે, તપાસ પર કોઈ પણ બહારના વ્યક્તિ કે વગનું દબાણ નથી અને પોલીસ સંપૂર્ણપણે નિષ્પક્ષ રહીને કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, પોલીસ હેડક્વાર્ટરના નિયમો અનુસાર આવા મામલાઓમાં FIR દાખલ કરવા માટે 1 મહિના જેટલો સમય મળતો હોય છે, પરંતુ આ કેસની ગંભીરતા જોઈને પોલીસે માત્ર 2 દિવસની અંદર જ FIR નોંધી લીધી હતી.
ADVERTISEMENT
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા ફાંસી આપવા માટે વપરાયેલી સામગ્રીને પોસ્ટમોર્ટમ બાદ AIIMS મોકલવાના સવાલ પર કમિશનરે જણાવ્યું કે, આ પ્રક્રિયા અંગે અલગથી તપાસ ચાલી રહી છે. જોકે, તે સામગ્રીનો ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે અને તે પોસ્ટમોર્ટમ રિપોર્ટના તારણો સાથે સંપૂર્ણપણે મેચ થાય છે.
પોલીસ કમિશનર સંજય કુમારે પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપતા જણાવ્યું કે, જો ટ્વિશાના પરિવારને કોઈ શંકા હોય અને તેઓ બીજી વખત પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરશે, તો પોલીસને તેમાં કોઈ વાંધો નથી અને તેની મંજૂરી આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટ્વિશા શર્માએ આપઘાત માટે એવી ચીજ પસંદ કરી કે એક્સપર્ટ હેરાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો
સમર્થ સિંહની ધરપકડમાં થઈ રહેલા વિલંબ અંગે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ઘણીવાર મોટા ગુનેગારો પણ ઝડપથી પકડાઈ જતા હોય છે, જ્યારે અમુક સામાન્ય કેસોમાં આરોપીઓને ટ્રેસ કરવામાં થોડો સમય લાગી જાય છે. પરંતુ પોલીસ સક્રિય છે અને ટૂંક સમયમાં જ સમર્થ સિંહ પોલીસ કસ્ટડીમાં હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.