મુંબઇ સ્થિત આરે કોલોનીના જંગલથી લગભગ 3000 વૃક્ષોને કાપવાથી રોકવા માટે થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મુંબઇ મેટ્રો પ્રમુખ અશ્નિની ભિડેનું નિવેદન આવ્યું છે. એમણે કહ્યું કે ઝાડ કાપવાની કાર્યવાહી કોઇપણ રીતે ગેર કાનૂની નથી. જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, તે ખોટો પ્રોપેગેન્ડા ફેલાવવામાં લાગ્યા છે.
વિરોધ પ્રદર્શન પર મુંબઇ મેટ્રો પ્રમુખે કહ્યું- ખોટો પ્રોપેગેન્ડા ફેલાવાઇ રહ્યો છે
ટ્રી ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ આદેશ બાદ 15 દિવસની નોટિસ આપવી જરૂરી
અશ્નિની ભિડે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રી ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ આદેશ બાદ 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે. હું જણાવવા માગું છું કે, આ તદ્દન નિરાધાર છે. એમણે કહ્યું કે આ આદેશ 13 સપ્ટેમ્બરે જાહેર કરાયો છે. આ હિસાબે 18 સપ્ટેમ્બરે 15 દિવસનો સમય પૂર્ણ થઇ જાય છે. અમે ત્યારબાદ જ કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારનો ખોટો પ્રચાર એક ખોટા પ્રોપેગેન્ડા હેઠળ ચલાવાઇ રહ્યો છે.
નોંધનીય છે કે, મુંબઇ હાઇકોર્ટ દ્વારા ઝાડ કાપવા પર રોક લગાવવાને લઇને દાખલ અરજીને ફગાવ્યા બાદ મોટા પ્રમાણમાં સ્થાનીય લોકો અને ઘણી પાર્ટીઓના નેતા ઝાડ કાપવાનો વિરોધ કરી રહ્યા છે.
ત્યારે આદિત્ય ઠાકરે પણ સરકારના નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારને જો આરે કોલોનીનાં જંગલની ચિંતા નથી તો એમણે પર્યાવરણ બચાવવાને લઇને પણ બોલવું જોઇએ નથી. એમણે ટ્વીટ કરી કહ્યું કે, આરે કોલોનીના લોકો સાથે અમારા શિવસૈનિકો છે.
સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે પણ ઝાડ કાપવાની કાર્યવાહી પર વિરોધ દર્શાવ્યો તથા સ્થિતિને ચિંતાજનક બતાવી છે. નોંધનીય છે કે, પોલીસે આરે કોલોનીની આસપાસ કલમ 144 લાગૂ કરી છે અને ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા છે. પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે જેથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી રોકી શકાય.