બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Hiralal
Last Updated: 04:06 PM, 23 March 2021
અંબાણીના બહાર મળેલી સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ વિસ્તરતી જાય છે. મંગળવારે આ કેસમાં એટીએસે એક મોટી કાર્યવાહી કરી છે.
હિરેન હત્યાકાંડની તપાસ માટે એટીએસની ટીમે અમદાવાદના વટવા જીઆઈડીસીમાંથી ફેક્ટરી ધરાવતા એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે હિરેન હત્યાકાંડના આરોપી બુકી નરેશ ગૌરને ચાર સિમકાર્ડ પુરા પાડ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલો આરોપી શખ્સ વટવા જીઆઈડીસીમાં ગાયત્રી ટેડર્સનો માલિક છે અને તે બોડકદેવો રહેવાશી હોવાનું તપાસમાં ખુલ્લું છે. ફેક્ટરી માલિક અને બુકી નરેશ ગૌર વચ્ચેના કનેક્શન સામે આવ્યા છે. મુંબઈ એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે સિમ કાર્ડના પગેરુની તપાસ કરવા એટીએસની ટીમ મુંબઈ આવી હતી અને ત્યાંથી ફેક્ટરી માલિકની ધરપડ કરી હતી.
એટીએસે દમણાંથી વોલ્વો કાર જપ્ત કરી
એટીએસે મનસુખ હિરેન હત્યાકાંડમાં વપરાયેલી મનાતી એક વોલ્વો કાર દમણમાંથી જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર મહારાષ્ટ્રના બિઝનેશમેનની હોવાનું કહેવાય છે. એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે આરોપીમાં એક મુંબઈ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બીજો બૂકી નરેશ ગોર સામેલ છે.ગેંગસ્ટર લખન ભૈયા એન્કાઉન્ટર કેસમાં આરોપી વિનાયક શિંદે હાલમાં પેરોલ પર બહાર છે. જોકે એટીએસે હિરેન ખૂન કેસમાં આ બે આરોપીની ભૂમિકા વિશે કોઈ ફોડ પાડ્યો નથી. 55 વર્ષીય વિનાયક શિંદે લખન ભૈયા એન્કાઉન્ટર કેસમાં આરોપી છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મુંબઈ એટીએસની સાથે એનઆઈએ પણ તપાસ કરી રહી છે
સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેનના મોતનું કોકડું વધુ ગૂંચવાતું જાય છે. હિરેનની હત્યા થઈ છે કે તેણે આપઘાત કર્યો છે, આનું રહસ્ય શોધી કાઢવા માટે હવે એનએઆઈએ જોર લગાવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે મનસુખ હિરેનના શંકાસ્પદ મોત કેસની તપાસ એનઆઈએને હવાલે કરી દીધી છે. અત્યાર સુધી તો આ કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસના હાથમાં હતી. 5 માર્ચે સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેનની લાશ મળી આવી હતી.એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે મનસુખ હિરેનના મોતની તપાસ કરવાનો એનઆઈએને ઓર્ડર મળ્યો છે. તપાસ મળ્યા બાદ એનઆઈએ ટીમ થાણેના સચિન વઝેના ઘેર પહોંચી છે. આ પહેલા એનઆઈએ ટીમ થાણેમાં મનસુખ હિરેનની દુકાનની પણ મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર એટીએસે સચિન વઝે સહિત 25 લોકોની પૂછપરછ કરીને તેમની જુબાની લીધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy