બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:27 AM, 23 March 2026
IPL 2026 સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 માં સૌથી મોટી ઉંમરના ખેલાડી હશે. ધોની હાલમાં 44 વર્ષનો છે. IPL 2026 સીઝન શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે "રોર 2026" નામનો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ADVERTISEMENT
શું IPL 2026 બાદ સંન્યાસ લેશે મહેન્દ્ર સિંહ ધોની?
ચેન્નાઈ સુપર કિંગ્સના 'રોર 2026' ઇવેન્ટ દરમિયાન, દક્ષિણ ભારતીય અભિનેતા અને સિંગર શિવકાર્તિકેયને મહેન્દ્ર સિંહ ધોનીને IPLમાં તેમના ભવિષ્ય વિશે ચાલાકીથી પ્રશ્ન કર્યો. શિવકાર્તિકેયને ધોનીને પૂછ્યું, "સર... દરેક IPL સિઝનમાં નિવૃત્તિના પ્રશ્નનો તમારો ચોક્કસ જવાબ 'Definitely Not' હોવો જોઈએ. તમારે 60 વર્ષની ઉંમર સુધી રમવું પડશે!" શિવકાર્તિકેયનના પ્રશ્નના જવાબમાં, મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, "મારી ફિટનેસ દિવસેને દિવસે ઓછી થઈ રહી છે, પણ હું પ્રયત્ન કરીશ."
ADVERTISEMENT
ADVERTISEMENT
તમામ ફેન્સના દિલની ધડકન છે ધોની
નોંધનીય છે કે છેલ્લા બે IPL સીઝનથી મહેન્દ્ર સિંહ ધોની નીચે ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે. IPL 2025 માં તેનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું. 14 IPL મેચોમાં, તેણે 135 ના સ્ટ્રાઇક રેટથી ફક્ત 196 રન બનાવ્યા હતા. જોકે, IPL માં ધોનીનો એકંદર રેકોર્ડ ખૂબ શાનદાર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધીમાં 278 IPL મેચોમાં 38.3 ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે, જેમાં 24 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો IPLનો સર્વોચ્ચ સ્કોર 84 છે. નોંધનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ફક્ત એક નામ નથી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ઘણા ચાહકોના હૃદયની ધડકન છે. માનવામાં આવે છે કે ખેલાડી તરીકે આ ધોનીની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL 2026માં રમાશે કેટલી મેચ, ક્યારે આવશે આખું શેડ્યૂલ? સામે આવ્યું મોટું અપડેટ
ચેન્નઇ સુપર કિંગ્સની પહેલી મેચ 30 માર્ચે
ADVERTISEMENT
મહેન્દ્ર સિંહ ધોની IPL ઇતિહાસમાં સૌથી વધુ શિકાર કરનારો વિકેટકીપર છે. તેણે કુલ 201 શિકાર કર્યા છે, જેમાં 154 કેચ અને 47 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2026 ના પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે, ચેન્નાઈએ યુવા ખેલાડીઓ પર મજબૂત દાવ લગાવ્યો છે. પ્રશાંત કિશોર અને કાર્તિક શર્માને ચેન્નાઈએ 14.20 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન, સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ તરફથી ટ્રેડ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.