બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઈંદોરના દ્વારકાપુરી થાણા પર એક ચોંકાવનાર ઘટના સામે આવી. B.E પાસ એક વહુનો આરોપ છે કે પોણા ત્રણ વર્ષ પહેલા તેની સુહાગરાત પર સાસુએ વર્જિનિટી તપાસ કરવા માટે અશ્લીલ હરકત કરી હતી. જયારે તેના થોડા સમય પછી જેઠે દુષ્કર્મ આચર્યો હતો. આ ઘટનાથી દુઃખી થઇ વહુ અઢી વર્ષ પોતાના પિયરમાં રહી. તેણે થોડા સમય પહેલા તેના પતિના વિરુદ્ધ ભરણ પોષણ-ઘરેલુ હિંસાનો પણ કેસ કર્યો હતો.
ADVERTISEMENT
મહિલાની ફરિયાદ પર તેની સાસુ, સસરા, પતિ, અને જેઠના વિરુદ્ધ દુષ્કર્મ અને દહેજ મુદ્દે હેરાનગતિનો કેસ કર્યો છે. દરેકની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. પીડિતા સ્ત્રીએ જણાવ્યું કે તેના લગ્ન મે 2017માં થયા હતા અને સુહાગરાત વાળા દિવસે સાસુ, નણંદ, સસરા, પતિ અને જેઠ આવ્યા. તે સમયે સાસુ તેને બાથરૂમમાં લઈ ગઈ અને બોલી- અમારે તો તારી વર્જિનિટી તપાસવી છે. મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેના પતિએ ધમકાવતા કહ્યું મારા ઘર વાળા જૂનવાણી વિચારો ધરાવે છે એટલે આવું તો કરવું જ પડશે.
ADVERTISEMENT
થોડા દિવસ પછી મહિલા પર તેના જેઠે ખરાબ નજર રાખવાની ચાલુ કરી દીધી. એક દિવસ તક મળતા જેઠે તેના પર દુષ્કર્મ આચર્યુ. મહિલાએ આ ઘટના તેના પતિ અને સાસુને કહી તો તેઓએ તેના પર ધ્યાન ન આપ્યું. થોડા દિવસો બાદ પતિએ તેને બસમાં બેસાડી તેના પિયરમાં મોકલી દીધી. અઢી વર્ષ સુધી તે પોતાના પિયરમાં રહી. હવે તેને ફરિયાદ દાખલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.