બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શિવની પૂજા માટે સોમવારનો દિવસ જ કેમ શ્રેષ્ઠ ? મોટું છે કારણ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / શિવની પૂજા માટે સોમવારનો દિવસ જ કેમ શ્રેષ્ઠ ? મોટું છે કારણ

Last Updated: 01:16 AM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણના સોમવાર શિવભક્તિના સૌથી શક્તિશાળી દિવસો છે કેમ કે તેમાં ચંદ્રમાનો પણ આશીર્વાદ જોડાયેલો છે. જેમાં વ્રત, અભિષેક અને મંત્રજાપથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માનસિક શાંતિ મળે છે.

1/7

photoStories-logo

1. શ્રાવણનો સોમવાર

શ્રાવણનો મહિનો મહાદેવની ભક્તિ માટે સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ સમય ગણાય છે. આ આખા મહિનામાં ભોલેનાથની પૂજા થાય છે, પરંતુ સોમવારનો દિવસ વધુ વિશેષ મહત્ત્વ ધરાવે છે. માન્યતા છે કે શ્રાવણના સોમવારે વિધિપૂર્વક શિવપૂજન, વ્રત અને જલાભિષેક કરવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોમવાર કેમ ખાસ?

સોમવારનો સંબંધ ચંદ્રમા સાથે જોડાયેલો છે અને ભગવાન શિવ પોતાના મસ્તક પર ચંદ્રદેવને ધારણ કરે છે. શાસ્ત્રોમાં પણ સોમવારને ચંદ્રદેવનો વાર કહેવામાં આવ્યો છે. એટલે જ આ દિવસે શિવપૂજાનું વિશેષ ફળ મળે છે. જેમાં જલાભિષેક, દુગ્ધાભિષેક કે વ્રત કરવાથી શિવજી સાથે ચંદ્રમાનો પણ આશીર્વાદ મળે છે. ચંદ્રમા મનનો કારક હોવાથી આ દિવસની પૂજા માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક ઊર્જા વધારે છે. ચાલો અમુક સરળ અને અસરકારક ઉપાયો વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સોમવારનું વ્રત અને પાર્થિવ શિવલિંગની પૂજા

શ્રાવણમાં સોમવારનું વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. શ્રદ્ધાપૂર્વક વ્રત રાખીને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સારું જીવનસાથી મેળવવા ઈચ્છતા સ્ત્રી-પુરુષ બંને આ વ્રતનો લાભ લઈ શકે છે. જેમાં પાર્થિવ શિવલિંગની પૂજામાટે માટીમાંથી બનાવેલા શિવલિંગની પૂજા અને અભિષેક વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગંગાજળથી રુદ્રાભિષેક અને મંત્ર જાપ

ગંગાજળથી શિવલિંગનું અભિષેક કરવું અત્યંત શુભ છે. શક્ય હોય તો રુદ્રી અથવા રુદ્રાભિષેક પણ કરાવી શકાય. જેમાં નિયમિત રીતે ‘ॐ નમઃ શિવાય’નો જાપ કરો. જેમાં બીમારી કે માનસિક કષ્ટથી મુક્તિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ લાભકારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સાઢેસાતી, ઢૈયા કે મહાદશાથી મુક્તિ

શનિની સાઢેસાતી, ઢૈયા કે મહાદશાના પ્રભાવવાળા લોકો આ દિવસે રુદ્રાભિષેક અને પૂજા કરે. નોકરી, વ્યવસાય કે અન્ય મનોકામનાઓ માટે પણ શિવજીની પ્રાર્થના શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ચાર સોમવારનો લાભ

આ વર્ષે શ્રાવણમાં ચાર સોમવાર આવે છે. આ ચારેય દિવસે મંદિરમાં જઈને જલાભિષેક, વ્રત, મંત્રજાપ અને પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. શ્રદ્ધા અને નિયમપૂર્વક કરેલી આરાધના જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા લાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Lord Mahadev Monday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ