કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વર્ષે સરકારે 60 મિલિયન ટન ખાંડની નિકાસ પર સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે, તેનો ખર્ચ 3500 કરોડ થશે. આ ઉપરાંત 18000 કરોડ રૂપિયાની આવક પણ ખેડૂતોને આપવામાં આવશે.
5 કરોડ ખેડુતોને મળશે લાભ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 5 કરોડ ખેડુતોને આનો લાભ મળશે, 5 લાખ મજૂરોને મોટો ફાયદો થશે. મંત્રીના જણાવ્યા મુજબ એક અઠવાડિયામાં જ ખેડૂતોને 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી મળશે. 60 લાખ ટન ખાંડની નિકાસ ટન દીઠ 6 હજાર રૂપિયાના દરે કરવામાં આવશે.
સબસિડી આપશે સરકાર
પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ આ વર્ષે ખાંડનું ઉત્પાદન 310 લાખ ટન થશે, દેશનો વપરાશ 260 લાખ ટન છે. ખાંડના નીચા ભાવ હોવાને કારણે, ખેડુતો અને ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા છે, આને પહોંચી વળવા 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો અને નિકાસને સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
3500 करोड़ रुपए की सब्सिडी, प्रत्यक्ष निर्यात का मूल्य 18000 करोड़ रु. किसानों के खाते में जाएगा। इसके अलावा घोषित सब्सिडी का 5361 करोड़ रुपया एक सप्ताह में किसानों के खाते में जमा कर दिया जाएगा: केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर https://t.co/FCgMy11Mz9
કૃષિ કાયદા મુદ્દે ખેડુતોના આંદોલન વચ્ચે મોદી સરકારે મોટી સંખ્યામાં ખેડૂતો માટે નિર્ણય કર્યા છે. સરકાર કૃષિ કાયદા મુદ્દે ખેડુતોને મનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં વીજળી વ્યવસ્થામાં સુધારો કરવા માટે નવું બજેટ મંજૂર કરાયું છે. પહેલાં, 5 હજાર કરોડનો ખર્ચ થતો હતો, પરંતુ હવે 6700 કરોડનો ખર્ચ થશે. પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ આ દ્વારા ટ્રાન્સમિશન લાઇન લંબાવાશે, 24 કલાક વીજળીનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, 2016 માં આવી હરાજી કરવામાં આવે તે પહેલાં સરકાર વતી સ્પેક્ટ્રમની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સરકારે ટેલિકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે.