બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Hiren
Last Updated: 05:25 PM, 16 October 2021
વિશ્વામિત્રી પદયાત્રા કાર્યક્રમ વખતે PIએ મેયરને પોલીસ કમિશનરની ખુરશી માટે જગ્યા રાખવા ટકોર કરી હતી, મેયરે સામે જવાબ આપી દેતા પીઆઇ ગુસ્સે ભરાયા હતા અને તમે ચૂપચાપ બેસી રહો તેમ કહી મેયર સાથે જાહેરમાં બોલાચાલી કરી હતી. જોત જોતામાં તકરાર એટલી હદે વધી ગઈ હતી કે મેયર કેયૂર રોકડીયા PI સામે ગુસ્સે ભરાઇ ગયા હતા. જે બાદ PIની તાત્કાલિકના ધોરણે બદલી કરી દેવામાં આવી છે.કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ પણ હાજર હતા.
તકરારમાં શું થયું હતું?
વડોદરાના વિશ્વામિત્રી કાર્યક્રમ દરમિયાન મેયર કેયુર રોકડિયા વિધિ કરી ખુરશી પર બેસી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્યાં પોલીસ ઈન્સ્પેકટર આવે છે અને મેયર કેયુર રોકડિયા સામે ખુરશીને લઈ દલીલો કરે છે. તે કહે છે કે આ ખુરશી પોલીસ કમિશનર માટે છે ઊભા થઈ જાઓ. મેયરે વાત ન માનતા અભદ્ર વર્તન કરે છે. જાહેર કાર્યક્રમ હોવાથી મેયર ત્યાં શાંત પડી જાય પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની પોલીસ કમિશનરને જાણ કરે છે. અને એક્શનના ભાગ રૂપે PIની બદલી કરી દેવામાં આવે છે
PI એન ડી. સોલંકીની કંટ્રોલરૂમમાં બદલી
મેયર કેયુર રોકડિયાનું જાહેરમાં અપમાન કરવું PIને ભારે પડ્યું હતું. રાવપુરા પોલીસ સ્ટેશનના PI એન ડી. સોલંકીએ ખુરશી માટે મેયર સાથે કરેલી માથાકૂટને કારણે તેમની બદલી કરી દેવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મેયર કેયૂર રોકડિયાએ સમગ્ર ઘટનાની ફરિયાદ સીધી જ પોલીસ કમિશનરને કરી હતી. અને PI ના વર્તનનો વિરોધ કર્યો હતો. જે બાદ એન. ડી. સોલંકીની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime