કેન્દ્ર સરકારે બુધવારે પોતાની મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજનામાં પ્રવાસી શ્રમિકોને સમાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ આરોગ્ય વીમાનો લાભ કોઈપણ રાજ્યના પરપ્રાંતિય શ્રમિકોને પણ મળી શકશે.
કોરોના સંકટ વચ્ચે મોદી સરકારનો મહત્વનો નિર્ણય
પ્રવાસી શ્રમિકોને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ ચેપના કારણે ઘરે પાછા ફરવાના પ્રયાસમાં તેઓ સતત ભટકતા રહે છે. તેથી, સરકારે તેમને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી પ્રવાસી શ્રમિકોને પણ હેલ્થ વિમાનો ફાયદો મળશે જે લૉકડાઉનને કારણે બેરોજગાર થઇ ચૂક્યા છે.
આ યોજના હેઠળ આવતા પરપ્રાંતિય મજૂરોને લાભ મળશે
AB-PMJAY લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય ઓથરિટી (NHA)ની છે. NHA હાલમાં તમામ રાજ્યોનો સંપર્ક કરી રહ્યો છે જેથી જરૂરિયાતમંદોને ઓળખી શકાય. એનએચએ આ યોજના હેઠળ આવતા પરપ્રાંતિય મજૂરોને આરોગ્ય વીમા ઇ-કાર્ડ આપશે.
દરેક પરિવારને 5 લાખનું કવર આપવામાં આવે છે
AB-PMJAY કેશલેસ અને પેપરલેસ આરોગ્ય વીમા યોજના છે. તે દરેક પરિવારને સારવાર અને હોસ્પિટલના ખર્ચ માટે 5 લાખ રૂપિયાનું કવર આપે છે. આ અંતર્ગત, અત્યાર સુધીમાં 10.75 કરોડ પરિવારો એટલે કે 53 કરોડ લોકોને લાભ મળ્યો છે. આ યોજનામાં, ઇ-કાર્ડ જારી કરવામાં આવે છે જેનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે.