બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રામાં ગજરાજોની સેવા માટે તંત્રનો માસ્ટર પ્લાન, કંઇક આવી ચાલી રહી છે તૈયારીઓ

રથયાત્રા 2026 / રથયાત્રામાં ગજરાજોની સેવા માટે તંત્રનો માસ્ટર પ્લાન, કંઇક આવી ચાલી રહી છે તૈયારીઓ

Vishal Khamar

Last Updated: 04:44 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રામાં આ વર્ષે કુલ ૧૬થી ૧૭ હાથી જોડાવાના છે. રથયાત્રા દરમિયાન ગજરાજની તંદુરસ્તી, આરામ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રામાં આ વર્ષે કુલ ૧૬થી ૧૭ હાથી જોડાવાના છે. રથયાત્રા દરમિયાન ગજરાજની તંદુરસ્તી, આરામ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાથીની દેખરેખ માટે મહાવત ઉપરાંત પશુપાલન વિભાગ, કાંકરિયા ઝૂ, ઇન્દ્રોડા ગીર ફાઉન્ડેશન, સક્કરબાગ ઝૂ અને અન્ય નિષ્ણાત ટીમ સમગ્ર યાત્રા દરમિયાન સાથે રહેશે.

રથયાત્રા દરમિયાન હાથી લાંબો માર્ગ કાપતા હોવાથી તેમના માટે સરસપુર ખાતે એક કલાકના વિશેષ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન હાથીઓને તેમનો મનપસંદ ખોરાક પીરસવામાં આવશે. જેમાં શેરડી, ગોળ, જુવારના પૂળા, લીલો ચારો અને વિવિધ ફળનો સમાવેશ થાય છે. ઉપરાંત રૂટ પર વિવિધ સેવા મંડળ દ્વારા પીવાનાં પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગરમીમાં હાથીઓને કોઈ તકલીફ ન પડે.

ગયા વર્ષે એક હાથી અચાનક અવાજના કારણે બેકાબૂ બનવાની ઘટના બાદ આ વખતે હાથીઓનાં વર્તન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાથીઓને છેલ્લા ઘણા દિવસોથી લોકોની વચ્ચે રાખીને તેમને ભીડ, વાહનો અને અવાજ વચ્ચે રહેવાની ટેવ પાડવામાં આવી રહી છે, જેથી રથયાત્રાના દિવસે કોઈ અસ્વસ્થતા ન સર્જાય.

હાથીઓનાં સ્વાસ્થ્ય પર પણ વિશેષ નજર રાખવામાં આવશે. રથયાત્રા પહેલાં તમામ હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ખાસ કરીને ગયા વર્ષે ચર્ચામાં રહેલા હાથીની અલગથી તબીબી તપાસ કરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમિયાન પશુચિકિત્સકો અને નિષ્ણાતોની ટીમ સતત હાજર રહેશે. જો કોઈ હાથીને તબિયત સંબંધી તકલીફ થાય અથવા અચાનક કોઈ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ અને સાધનો પણ સાથે રાખવામાં આવશે.

હાથીની સંભાળ રાખતા મહાવતોનું કહેવું છે કે હાલમાં તમામ હાથીનું વર્તન સામાન્ય છે અને તેઓ લોકો વચ્ચે સંપૂર્ણપણે સહજ રીતે રહે છે. હજારો લોકો દરરોજ હાથીઓને જોવા, તેમને ખવડાવવા અને આશીર્વાદ લેવા આવે છે, જેના કારણે હાથીઓ પણ લોકોની હાજરીથી પરિચિત થઈ ગયા છે. આ તમામ તૈયારીઓનો મુખ્ય હેતુ રથયાત્રા દરમિયાન ભગવાનના ગજરાજો સુરક્ષિત, સ્વસ્થ અને શાંત રહી ભક્તોને નિર્વિઘ્ન દર્શન કરાવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચોઃ માંજલપુર પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારીએ નામાંકન ભર્યું

હાથીનાં નામ

  • બાબુલાલ.
  • જયમાલા.
  • રાની.
  • લક્ષ્મી.
  • સુરતમાલા.
  • ગુલાબકલી.
  • રૂપકલી.
  • પડકી.
  • સંતોષી.
  • ચાંદની.
  • જયમાલા. (બીજી)
  • રૂપા.
  • લાલી.
  • બાબુ.
  • રાની. (બીજી)
  • પાર્વતી.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rath Yatra Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ